SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને જીવન પ્ર. - જગતની ચીજ પરનો રાગ કેમ હટે ? ઉ. - આ રીતે એ હટે, કે (૧) અંદરના પોતાના આત્માની ચિંતા આકર્ષણ ઊભાં કરાય, (૨) તારક પરમાત્મા પર અથાગ રાગ-ભક્તિ-બહુમાન ઊભાં કરાય, (૩) પાપસ્થાનકમાં ભય અરુચિ ગ્લાનિ ઊભી કરવામાં આવે. અને (૪) દાનાદિ સુકૃત-સદાચરણનો ભારે રાગ ઝગમગાવાય. ૧૭. વલોપાત-આર્તધ્યાન કેમ મિટે ? વાત આ ચાલતી હતી કે વાણી વર્તાવ અશુભ ચાલવાના લીધે એમાં રાગાદિ મલિન ભાવો પોષાય છે અને એથી ચિત્ત દુર્ધ્યાન આર્તધ્યાનમાં પડે છે. વાણી-વર્તાવની ધ્યાન પર અસર પડે છે. રૂપાળી સ્ત્રીઓ ૫૨ આંખ ભટકાવ્યા કરવાથી મલિન ભાવો અને આર્તધ્યાન ચાલવાનાં, એથી ઉલ્ટું, પરમાત્મા અને સાધુ પુરૂષો પર આંખ લગાવ્યા કરવાથી શુભ ભાવો અને શુભ ધ્યાન ચાલશે. આ તો સામાન્ય નિયમ થયો કે શુભાશુભ વાણી-વર્તાવથી તેવા તેવા શુભાશુભ ભાવ અને ધ્યાન ચાલે છે, પણ વિશેષ અપવાદ આ છે કે આત્મા જો જાગ્રત્ હોય તો અનિવાર્યપણે કરવા પડતા સંસાર-વ્યવહારોમાં ય અંતરના ભાવ ઉજળા રાખી શકે, ધ્યાન શુભ પ્રવર્તાવી શકે. પૂછો - પાપપ્રવૃત્તિમાં શુભ ભાવ-ધ્યાન કેવી રીતે રહે ? આ રીતે, કે (૧) પાપપ્રવૃત્તિની ઘૃણા રખાય, (૨) વસ્તુતત્ત્વનો વિચાર જાત્ રખાય, (૩) પ૨ની વેઠ કરવામાં શરમ લાગતી હોય, ૧૧૩ (૪) ટંકશાળી જિનવચન સતત નજર સામે રમતા રખાય, (૫) આવી જ પાપપ્રવૃત્તિઓનાં કારણે પૂર્વના પોતાના દુર્ગતિના ભવોની વિટંબણા આંખ સામે દેખાયા કરતી રહે, (૬) આત્મા પર થતી ખરાબ અસરોનો અત્યંત ખેદ રખાય,... 9 Jain Education International આવી આવી ચોક્સાઈથી ભાવ અને ધ્યાન શુભ ચલાવી શકાય. આ ચલાવવાનું જરૂરી એટલા માટે છે કે દિલના ભાવ અને ધ્યાનને કર્મબંધ સાથે સીધો સંબંધ છે. એના ૫૨ તરત જજમેન્ટ પડે છે કે કર્મ કેવાં બંધાશે – શુભ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy