________________
– ને ધ્યાન અને જીવન - પાંચ ફૂલ વગેરે ક્યાં છે ? કાયાદિના રાગ પોતાના આત્માના રાગને દબાવે છે, તેથી પર્વતિથિ જેવા દિવસે ય સ્વાત્માને હિતકર ઘી ત્યાગ, દૂધ-સાકર વગેરે વિગઈત્યાગ, કે ઉપવાસાદિ તપ ક્યાં છે? સારાં ખાનપાનાદિમાં આત્માનું ગમે તે થાઓ એનું પૂર્વનું પુણ્ય વટાવાઈ જાઓ અને પાપનાં પોટલા ખરીદાઓ, પણ કાયાદિની તુષ્ટિ-પુષ્ટિ બરાબર રહેવી જોઈએ .. આવી જાતની જીવન પદ્ધતિ ચાલી રહી હોય, એ શું સૂચવે છે ?
વિષયો અને કાયાદિ જગતની ચીજ પરના રાગમાં આત્મા-પરમાત્મા પરનો રાગ મમત્વ નહિવત્ બની જાય છે.
તો કહો, પરનો જે રાગ આત્મા પરમાત્મા અને ધર્મને ભૂલાવે, એ ગુન્હો નહિ ? એની પાછળ પોતાને કર્મની ભારે સજાઓ, દુ:ખ-દુર્ભાગ્ય-દુર્ગતિની જેલ વગેરે આવીને ઊભું રહે કે નહિ ?
(૨) જગતની ચીજ પર રાગ એ ગુન્હો શાથી? એટલા માટે કે પછી એના ઉપર અઢાર પાપસ્થાનકનાં આચરણ ચાલે છે. કાયા અને એના સંબંધી બહારના બધા પદાર્થ, એ જગતની ચીજ છે. એ ગમ્યા એટલે તો એની ખાતર શકાય-હિંસા, આરંભસમારંભ, જૂઠ, અનીતિ, વિષય, પરિગ્રહ, ક્રોધ, માન વગેરે પાપસ્થાનકો સેવાય છે. દુષ્કૃત્યો આચરાય છે અને સુકૃતો આઘાં રખાય છે. તો કહો દુષ્કૃત્યો સેવરાવનાર જગતની ચીજનો રાગ એ ગુન્હો નહિ? મોટો ગુન્હો.
ધર્મ સમજ્યાન, તત્ત્વ સમજ્યાની, પરીક્ષા અહીં થાય છે કે પહેલું તો જગતની ચીજ પર રાગ કરવો એ મોટો ગુન્હો છે, મોટું અપકૃત્ય છે', એવું મનને બરાબર લાગે છે ખરું ? એ રાગ કરવામાં મન ભડકે છે ખરું ? ભય લાગે છે ? જે એ રાગ કરવામાં કશું ખોટું કર્યું એવું લાગતું નથી, તો પછી આગળ પાપસ્થાનકો-દુષ્કૃત્યો સેવવામાં બાકી ક્યાં રહેવાની ?
માટે જ આ નજર સામે બરાબર તરવરતું રહેવું જોઈએ કે,
પોતાના જ આત્માને ભુલાવનારો, પરમાત્માને ભુલાવનારો અને પાપસ્થાનકો આચરાવનારો એવો જે જગતની ચીજ પરનો રાગ, એ મોટો ગુન્હો છે, મોટી ભુલ છે, મોટું મૂળભૂત પાપ છે, અપકૃત્ય છે.
(૩) અહીં એક વખત પણ જેલ અપાવનાર કૃત્ય એ ગુન્હો ગણાય છે, તો ભવાંતરે દુર્ગતિના અનેક ભવોની ભયંકર જેલમાં ખોસી ઘાલનાર રાગ એ તો મહા ભયંકર ગુન્હો ગણાય જ. એ રાગના લીધે જ જીવ અનાદિ અનંતકાળથી આ ભવજેલમાં ફસેલો રહ્યો છે અને હજી આ ઉત્તમ અવતારે પણ આત્માને ભવમાંથી છોડાવનાર દાન-શીલ-તપ વગેરે ઉત્સાહભેર આચરાતા નથી. ત્યારે સવાલ થાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org