________________
ધ્યાન અને જીવન - અશુભ ધ્યાન પોષાવાના. એમ જીભને સારા મીઠા મનગમતા રસમાં લગાવ્યા કરો તો ભાવ મલિન રાગમૂઢ ને મોહમૂઢ પોષાવાના. પ્રશ્ન થશે કે,
પ્ર. - રાગ કરીએ એમાં શું ખોટું થઈ ગયું ? એમાં ક્યાં હિંસાનો જુઠનો ચોરીનો વિચાર છે ?
ઉ. - બસ, ભલભલા ધર્મી ગણાતા પણ અહીં અટકી પડે છે. એમને એ ભડક નથી થતી કે,
જગતની ચીજ પર રાગ કરવો એ જીવનો મહાન ગુન્હો છે. શાથી? રાગ એ મહાન ગુન્હો શાથી? : આત્માનું મમત્વ ભૂલાવે માટે :
જગતની ચીજ રાગ કરવા લાયક નથી, છતાં રાગ કરવો એ ગુન્હો છે. જેમ પરસ્ત્રી એ રાગ કરવા લાયક ચીજ નહિ, છતાં જો રાગ કરે તો ગુન્હો ખરો ને ? બસ, સમ્યગ્દષ્ટિ આત્મા કે જેણે વિશ્વના તત્ત્વોનું સમ્યગ્દર્શન કર્યું છે, એ તત્ત્વોના સ્વરૂપને ઓળખીને આ સમજી શકે છે કે આત્માને માટે જગતની ચીજો એ “પર” છે, પરસ્ત્રી જેવી છે, એના પર રાગ કરાય એ ગુન્હો છે.
પ્ર. - પરસ્ત્રી પર રાગ એ ગુન્હો એવું તો દેખાય છે, પરંતુ જગતની ચીજ ઉપરના રાગને ગુન્હો કેવી રીતે સમજવો?
ઉ. - આ સહેલાઈથી સમજાય એવું છે. પહેલું તો એક વાત એ નક્કી કરો કે આપણા આત્માનો ઉદ્ધાર કરવો હોય તો
શું આપણા આત્મા પર મમત્વ કર્યા વિના એના ઉદ્ધારનો પ્રયત્ન થાય? તેમ એના ઉદ્ધારક પરમાત્મા ઉપર મમત્વ કર્યા વિના એમણે કહેલ ઉદ્ધારનો માર્ગ અપનાવાય ? ના, સ્વાત્મા અને પરમાત્મા પર મમત્વ કર્યા વિના ઉદ્ધારના માર્ગે પ્રયત્ન જ ન થઈ શકે. ત્યારે, હવે જુઓ કે જે જગતની ચીજ પર રાગ કરવા ગયા તો ત્યાં આત્મા અને પરમાત્મા સહેજે ગૌણ થઈ જવાના, ભુલાઈ જવાના, એની પરવા નહિ રહેવાની.
જગતની ચીજનો રાગ આત્મા-પરમાત્માના મમત્વ પર ઘા કરે છે.
કારણ ? બહારની વસ્તુનો રાગ કાયા અને ઈદ્રિયોના રાગને લીધે થાય છે અને આપણે એ કાયાદિ તરફ ખેંચાયા એટલે આત્મા તરફથી ખસ્યા ! ને પરમાત્મા ભૂલાયા છે. એટલે જ તો પરમાત્માની ભક્તિમાં પોતાનાં દ્રવ્યોનો અને તે પણ ઉંચા કિંમતી દ્રવ્યોનો ઉપયોગ નથી થતો ને ? કેમ નહિ ? એટલા જ માટે કે કાયા-કુટુંબ-ઈન્દ્રિયો-કીર્તિ વગેરે પર રાગ હોઈ એ માટે દ્રવ્ય જોઈએ ને ? પછી પરમાત્માની ભક્તિમાં દેવાનું ક્યાંથી હોય ? કુટુંબ માટે દોઢ શેર દૂધ, શેર શાક વગેરે વગેરે લાવવા શક્તિ છે, ને લવાય છે, પણ પ્રભુભક્તિમાં પાશેર પણ દૂધ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org