SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ન ધ્યાન અને જીવન - બાનનો વિષય બહુ સમજવા જેવો છે, કેમકે એને જીવન સાથે ઘનિષ્ઠ સંબંધ છે. જીવનની ઉન્નતિ-અવનતિનો ખરો આધાર શુભ-અશુભ ધ્યાન પર છે, ઉન્નતિ-અવનતિનો સીધો સંબંધ ધ્યાન સાથે છે. શુભ ધ્યાનમાં રહો કે નિશ્ચિત ઉન્નતિ, અશુભ ધ્યાન સેવા કે નિશ્ચિત અવનતિ. બાહ્ય વાણી-વર્તાવ પર ઉન્નતિ કે અવનતિ નહિ ? ખરી, પરંતુ અંતરના ભાવ દ્વારા, અંદરના ધ્યાન દ્વારા. ધ્યાન કેવું કરો છો, શુભ કે અશુભ? હૈયાના ભાવ કેવા વર્તે છે, સારા કે નરસા ? એના પર કર્મબંધનું જજમેન્ટ પડી પુણ્યબંધ કે પાપબંધ નક્કી થાય. પ્ર. - ત્યારે શું વાણી-વર્તાવની કશી કિંમત નહિ? ઉ. - કિંમત ખરી, કેમકે એ સારા પવિત્ર હોય તો ભાવ અને ધ્યાન શુભ રહે, ત્યારે જો એ નરસા મલિન હોય તો ભાવ અને ધ્યાન અશુભ રહે. સામાન્ય રીતે વાણી-વર્તાવની ભાવ ને ધ્યાન પર અસર પડે છે. વાણીની ભાવ પર અસર : કઠોર ભાષા બોલનારને ભાવ કઠોર બને છે, મૃદુ સૌમ્ય વાણી વ્યવહાર રાખનારને ભાવ મુલાયમ બને છે, માયાવીની વાત જુદી. પણ આપણા જીવનમાં મુલાયમ સૌમ્ય ભાષાનો અને સૌમ્ય વ્યવહારનો મંગળ અભ્યાસ કરી જુઓ તો હૈયામાં શુભ ભાવનો અનુભવ થશે. ત્યારે, કઠોર કર્કશ શબ્દો બોલીને દિલમાં અશુભ ભાવનો ને કષાયભર્યા ભાવનો અનુભવ ક્યાં નથી ? એવું અર્થ-કામની વાતો કરવામાં, પરચિતાના કે પરનિંદાના લેફ્ટર કરવામાં હૈયે મલિન ભાવ અને અશુભ ધ્યાનના અનુભવ ક્યાં નથી ? પણ એના બદલે ઉત્તમ જીવોના ગુણ જ ગાવા માંડો, મહાન પુરુષોના સારા જીવનપ્રસંગોની વાતો કરતા રહો, તત્ત્વોની શાસ્ત્રોની સદ્ આચારોની વાતો કરતા રહો, પછી જુઓ કે હૈયે કેવા કેવા સુંદર ભાવ ચકે છે ! કેવા શુભ ધ્યાન ચાલે છે ! વર્તાવની ભાવ પર અસર : વાણીની આટલી અસર છે, તો વર્તાવની અસરનું તો પૂછવું જ શું ? વર્તાવમાં શું આવે ? એકે એક ઈન્દ્રિયનો વર્તાવ આવે, તેમજ શરીરના અવયવોનો વર્તાવ આવે. એ જે સારા ઠેકાણે સારા વિષયમાં હશે, તો ભાવ શુભ ચાલશે, નરસામાં અશુભ. આંખને સ્ત્રીનાં રૂપરંગ જોવામાં, દુનિયાના વૈભવ દેખવામાં, પરના દોષ નિરખવામાં કે ધનમાલ જોવામાં પ્રવર્તાવી, તો અશુભ ભાવ જાગવાના, ધ્યાન અશુભ ચાલવાનું. એમ કાયાને મોહના શબ્દો, ગીતડાં, કે સમાચાર સાંભળવામાં પ્રવર્તાવ્યા, તો સમજી રાખો એના પર અશુભ ભાવ ને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy