________________
- ધ્યાન અને જીવન ૧૦૯ – . મિસસ્થિરહિત સંશતિશનું કોઈપણ સાધના વિશુદ્ધ ક્યારે કે એ જો ફળની આતુરતા વિનાની હોય. આ ત્યારે બને કે સાધનાનો રંગ જો અંગ અંગ વ્યાપી જાય એવી એ કરવામાં આવે. પછી તો એ સહજભાવે બનતી થઈ જાય. સાધનાનો રંગ અંગ અંગ વ્યાપે :
અર્ણિકાપુત્ર આચાર્ય ભગવાનને કાંઈ વિચાર કરવા નહોતું બેસવું પડ્યું કે મારે દયા ચિંતવવી જોઈએ, હિંસાનો ખેદ કરવો જોઈએ.” એમને તો જ્યાં પોતાનું લોહી પાણીમાં પડી પાણીના જીવોનો નાશ કરતું દેખાયું કે તરત સહેજે એ જીવોની. દયા ઉભરાઈ આવી અને સહેજે એમની થતી હિંસા અંગે સંહાર અંગે ખેદ થઈ આવ્યો, કે “બિચારા આ જીવો મરી રહ્યા છે ! અરે રે ! આ મારું કેવું દુ:ખદ શરીર કે એનું લોહી આ જીવોનો સંહાર કરી રહ્યું છે !' સહેજે સહેજે આ દયા અને ખેદ બની આવવાનું કારણ એ કે જીવનમાં એની સાધના એવી એકાકાર થઈ રહી છે કે એનો રંગ અંગે અંગમાં વ્યાપી ગયો છે કે મોકો આવતાં એ દયા અને ખેદનો ભાવ હૃદયમાં સહેજે ઊઠી આવે છે. પોતે ભાલાથી વિંધાઈ ભયંકર વેદના પામી રહ્યા છે ત્યારે, (૧) એ પોતાની વેદનાનો આર્તનાદ સહજ ? કે (૨) પેલા પાણીના મરતા જીવોની પીડાનો પોતાને આર્તનાદ સહજ ? શું સહજ ? કહો.
સહજ છે કે જે જીવનમાં ખૂબ ઘુંટાયું હોય. કાયર અને સ્વાર્થી જીવોને માત્ર પોતાના જ દુઃખ પર “અરે આ ક્યાં આવ્યું' એવો આર્તનાદ, હાયવોય-બળતરા અને “ક્યારે આ જય” એવું આર્તધ્યાન વારંવાર અને તન્મય થઈ ઘુંટાતું હોય છે. પછી એનો જ રંગ ચડે, દિલ એનાથી જ ભાવિત બને એમાં નવાઈ નથી. ત્યારે,
ધીર અને વીર એવા પરાર્થરસિક પુરુષોને બીજા જીવોનાં દુઃખ પર આર્તનાદ ને સંતાપ થાય છે અને એ ટાળવાની દયા વારે વારે ઘુંટાતી હોય છે ! એટલે એનો રંગ ચડે, દિલ એનાથી ભાવિત થાય, એમાં નવાઈ નથી. પોતાનું દુઃખ ભારે પણ હોય તેની કિંમત નહિ, એના સંતાપ નહિ, પણ બીજનાં દુઃખ અંગે “અરેરે ! આને ક્યાં આ દુઃખ આવ્યું', એવો સંતાપ અને આર્તનાદ થાય છે, “એ કેમ ટળે એવી દયા ઉભરાય છે ! આ બતાવે છે કે,
જીવનમાં જે ગુણ કે દોષ બહુ ધુંટશો એનો રંગ ચડશે, એ સહજ થઈ જશે.
ગમતું ચાલી ગયા પર, અણગમતું આવી પડ્યા પર, કે વેદનાની પીડા ઉપર આર્તધ્યાન વારે ને વારે કરવામાં આવે છે, તેથી એનો રંગ ભારે ચડી ગયો હોય છે. પછી મોકો આવ્યો કે તરત એ આવીને ઊભું જ છે. એના બદલે મન મારીને પણ જો શુભ ધ્યાન વારંવાર લાવવામાં આવે તો એ ધ્યાન ઘુંટાય, આત્મા પર એનો રંગ ચડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org