SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૮ને ધ્યાન અને જીવન છે, એ કેવું ગોઝારું ! વળી (૨) પોતાના ભાલે વીંધાયેલા શરીરમાંથી લોહી નીચે પાણીમાં પડતું જોઈ એમને પાણીના જીવો પર દયા ઉભરાઈ આવે છે કે – આચાર્યશ્રીની ઉચ્ચ ભાવના : “અરેરે ! આ પાણીના અસંખ્ય જીવો બિચારા મારા શરીરના લોહીથી મરી રહ્યા છે ! કેવું મારું આ ગોઝારું શરીર ને ગોઝારું લોહી કે એ અસંખ્ય જીવોના નાશમાં વપરાઈ રહ્યું છે ? ધિક્કાર હો આ મારા શરીરને ! ધન્ય છે એ સિદ્ધ ભગવંતોને કે જે દેહમુક્ત બની કોઈના ય નાશમાં નિમિત્ત બનતા નથી ! ક્યાં મારું અહિંસાવ્રત ને સંયમ અને ક્યાં આ અસંખ્યની હિંસામાં નિમિત્ત બનવાનું ? ધિક્કાર હો આ શરીરાદિ અધિકરણોને ?...' અહીં આ ખાસ જોવા જેવું છે કે આચાર્ય મહારાજને એ વિચાર સરખો ય નથી કે “કેવળજ્ઞાનીએ તો અહીં મને કેવળજ્ઞાન થવાનું કહ્યું હતું, ને આ મોત આવ્યું, પછી એ વચનનું શું?' ના, આ વિચાર જ નથી. એનું શું કારણ? કેવળજ્ઞાનની ખોટી આતુરતા કેમ નહિ? : એમને કેવળજ્ઞાન પામવાની ઈચ્છા હતી, પણ તે ખોટી આતુરતા નહિ. ખોટી' એટલે કે (૧) પોતાનું સંયમ વિસારીને, (૨) કાયાનો રાગ પોષીને અને (૩) કાયા પર આક્રમણ આવ્યું તો હાયવોય કરીને કેવળજ્ઞાનની આતુરતા નહિ. આચાર્યને એવી ખોટી આતુરતા નથી, કેમકે કર્તવ્યનું પાકું ભાન છે. તેથી જ અહિંસાવ્રતનું શરીર હિંસામાં નિમિત્ત બની રહ્યું છે એનું એમને ભારે દુઃખ છે. એટલે જ શરીર પર કોઈ રાગ ઊભો રહેતો નથી. આત્માને અતિ નિકટ અને અતિ સંલગ્ન પોતાના શરીર પરથી રાગ ઉડ્યો અને સંયમ જીવદયા અને અહિંસા પર રાગ ઉછળ્યો ! પછી તો એ પ્રબળ પ્રશસ્ત રાગ જીવને તત્ત્વમાં એકતાન બનાવે છે. આચાર્ય મહારાજે આ એકતાનતામાં શુક્લધ્યાન લગાવ્યું, ક્ષપકશ્રેણિ માંડી અને ત્યાં જ કેવળજ્ઞાન પામ્યા ! પછી આયુષ્ય ત્યાં જ પૂરું થઈ જવાથી સર્વ કર્મક્ષય કરી મોક્ષ પામ્યા ! આચાર્ય જો કેવળજ્ઞાનની ખોટી આતુરતા કરી હોત તો તો કદાચ કેવળજ્ઞાનીનાં વચન પર શંકા પડત ! અશ્રદ્ધા થાત ! શરીર પર રાગ ઉભરાત ! ને આક્રમકો પર દ્વેષ થાત ! આ સૂચવે છે કે – સાધ્યની અભિલાષા આતુરતા જરૂર રાખો, પરંતુ તે સાધનાને વિસારીને નહિ. સાધનામાં ચુસ્તતા પહેલી જોઈએ. સાધનામાં પણ આપણા નિમિત્તે બીજા જીવોને પીડા ન થાય એ કરુણા પહેલી જરૂરી. સાધનામાં દઢપણે આગળ વધે એને સિદ્ધિ તો અવશ્ય લખાયેલી છે. માટે જ શાસ્ત્રકારો ફળની ખોટી આતુરતા કરવાની મનાઈ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy