________________
(૧૦૦
ધ્યાન અને જીવન લાભ આપવા બદલ આચાર્ય ભગવંતનો આધિકાધિક ઉપકાર માનું.” એ વિચારથી સેવામાં ભારે સજાગ છે અને આચાર્ય મહારાજ પ્રત્યે તેમ આ બધાના મૂળ દેવાધિદેવ અને એમના શાસન પ્રત્યે વધતા ને વધતા બહુમાનવાળા બન્યા રહે છે.
આ ત્રણે ય બળ પર એ આગળ ને આગળ વધતા જ રહ્યા. સંયમથી બહારના પદાર્થ પર નિરાસંગ ભાવ વધારતા જ ગયા.
પ્રશસ્ત રાગમાં પણ ફળની કોઈ આશંસા જ નહિ, તેથી એ રાગને ય અવસરે છૂટતાં વાર નહિ. એટલે જ્યાં ક્યારે ય સંયમાદિમાં એકતાનતા આવી અનાસક્ત યોગમાં ચડ્યા, કાયાની આસક્તિ અને અહત્વ તુટ્યા, કે પ્રશસ્ત પણ રાગ છૂટીને તરત વીતરાગતા આવીને ઊભી રહી ! ને ક્ષણમાં કેવળજ્ઞાન થયું !
પુષ્પચૂલા સાધ્વીજી આમ કેવળજ્ઞાની વીતરાગ સર્વજ્ઞ બન્યા, ત્યારે અર્ણિકાપુત્ર આચાર્ય મહારાજ પણ હવે જુએ છે કે “આ કેવળજ્ઞાની મને કેવળજ્ઞાન થવામાં સમયમર્યાદા તો આપતા નથી. પણ માત્ર ગંગા ઉતરતાં કેવળજ્ઞાન થવાનું કહે છે, તો લાવને હવે એમાં ઉધારો શો ? હમણાં જ જઈને ગંગા ઉતરું. કેવળીનું વચન ફોગ જય નહિ.' તે ઊઠ્યા, ચાલ્યા ગંગાના કિનારે. ત્યાં જઈ નાવડામાં બેઠા. નાવ ઉપડી. પૂર્વના વૈરી દેવતાથી અધવચ્ચે નાવ ડોલંડોલ કરાતાં નાવડામાં બેઠેલા બીજા લોકોએ એમને અપશુકન માની પોટલાની જેમ ઊંચકીને બહાર ઊંચે ઉછાળ્યા ! ત્યાં એ વૈરી દેવતાએ એમને ભાલા પર ઝીલ્યા. શરીરમાં અણી જોરથી ઘુસી ગઈ, એમાં પરોવાઈ ગયા અને એમાંથી લોહી નીચે પડવા માંડ્યું ! જીવને કસોટી : હવે અહીં જ જીવની કસોટી થાય છે.
(૧) સંયમનો અહિંસાનો રાગ અને પુરુષાર્થ વધારે છે? કે કોઈ કેવળજ્ઞાની જેવી ઉંચી પદવી પામવાનો રાગ વધારે ?
(ર) કેવળજ્ઞાનને જ્ઞાનના વચનમાત્ર પર લેવું છે કે સંયમના જ્વલંત પુરુષાર્થ પર ?
(૩) જીવલેણ ઘા વખતે, પણ પોતાની કાયાનો વિચાર ? કે જીવોનો વિચાર ? હવે કાયા પર રાગ રહે છે ? કે જીવો પરની દયામાં એ રાગના ભુક્કા થાય છે ?
આચાર્ય મહારાજ કસોટીમાં પાર ઊતરે છે - નાવડામાંથી ઊંચકીને બહાર ફેંકનાર લોકો પર કે ભાલામાં પોતાના શરીરને વીંધનાર ઉપર એ પોતાના દિલમાં જરા ય લેશમાત્ર પણ દ્વેષ નથી થવા દેતા. ઊલટું એ (૧) એમના પર ભાવકરુણા અને સ્વશરીર પર ધૃણા વિચારે છે કે “અરેરેરે ! આ બિચારા જીવો પાપ બાંધે છે એમનું પરભવે શું થશે ? ત્યારે એમના પાપમાં આ મારું શરીર નિમિત્ત થઈ રહ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org