________________
(૧૦૬-ન ધ્યાન અને જીવન કેવળજ્ઞાનીએ ઉત્તર કર્યો, “ગંગા ઉતરતાં.” કેવળજ્ઞાનમાં બધું પ્રત્યક્ષ જુએ છે એટલે કહી શકે. ફરીથી અહીં જોવા જેવું
છે કે, .
સાધ્વીજીને કેવળજ્ઞાન ક્યા બળ પર ??
કહો, સાધનાના પ્રચંડ બળ પર.
(૧) એક બાજુ એ જુએ છે કે રાજા અતિ પ્રેમાળ છે અને મને અહીં ને અહીં રાખી રોજ દર્શનાર્થે આવશે. ત્યાં મેં ફગાવી દીધેલો રાગ ફરી મારામાં ન ઊભો થાય એ માટે મારે વૈરાગ્ય અને ઉદાસીનભાવની સાધના વધુ ને વધુ જોરદાર બનાવવી જોઈએ. તે એ વિચાર જાગતો રાખીને બનાવાય કે –
(૧) આવા રાગ કરી કરીને તો આ જીવ અનંતાનંત કાળથી સંસારમાં ભટકતો રહ્યો છે. હવે એ સમજ્યા પછી આવા ઉત્તમ પુરુષાર્થ શક્તિવાળા માનવ ભવે તો એને કચરવાનો જ હોય, નહિતર પછી બીજા કયા ભવમાં આ કાર્ય થઈ શકવાનું હતું?
(૨) ત્યારે ખરી રીતે, જેના પર રાગ કરીએ છીએ, એ આપણું શું લીલું વાળે છે ? તેમજ,
(૩) રાગ ગમે તેટલો કર્યો, પરંતુ તે કેટલો ટકવાનો ? મૃત્યુ થતાં અવશ્ય વિયોગ અને વિસ્મરણ. પછી પરભવે ક્યાં ય એકલા ઊપડી ગયે રાગ ક્યાં રહેવાનો ? વળી,
(૪) વીતરાગ બનવું છે તો અંતે રાગને માર્યે જ છૂટકો છે, તે ય જે વસ્તુ કે વ્યક્તિ પર વળી રાગ વિશેષે ઊછળે છે ત્યાં તો વિશેષ પુરુષાર્થથી વૈરાગ્ય જ્વલંત બનાવીને રાગના વિશેષ નિગ્રહ સાથે વર્તવાનું. રાજાને તો જાણે કોઈ રસ્તે જનાર તદ્દન ત્રાહિત જ સમજવાનો, જેથી એની સાથે પોતાને કોઈ સંબંધ જ નથી એમ લાગે.
-- આમ એ રાગથી ભારે અલિપ્ત રહેતા હતા.
(૨) સાધ્વીને તદ્દન અલિપ્ત રહેવા બીજું બળ આ છે કે એ જુએ છે કે જે આ ને આ જ નગરીમાં રહેવાનું છે તો પછી ક્યાં ય મમત્વ ન બંધાય, શિથિલતા ન પેસે, એ માટે સંયમની સાધના વધુ ને વધુ હોંશ, જોસ અને ઉચ્ચ ઉચ્ચતર સંયમ-પરિણતિવાળી બનાવતા રહેવું જોઈએ.” એમ એ આગળ વધી રહ્યા હતા.
(૩) વળી સાધ્વીજી હમેશા એ જુએ છે કે “આવા પરમ ઉપકારી અને મહાગુણિયલ આચાર્ય ભગવાનની સેવા કરવાનો લાભ ક્યાંથી મળે ! જો એ મળ્યો છે તો મારાં એ મહાન અહોભાગ્ય સમજી સેવામાં કમીના ન રાખ્યું અને સેવાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org