________________
૧૦૪
ધ્યાન અને જીવન અર્ણિકાપુત્ર આચાર્ય સાધ્વીના કેવળજ્ઞાનથી ચોંક્યા :
અહીં બને છે એવું કે અર્ણિકાપુત્ર આચાર્યનું જંઘાબળ ક્ષીણ થઈ જવાથી ચાલવાની શક્તિ રહી નથી, તેથી અહીં જ પડ્યા રહેવામાં પોતાના સમુદાયના મુનિઓને સંયમમાં બાધ પહોંચે. એ સંયમ બાધા રોકવા માટે એ સમુદાયને વિહાર કરાવી દે છે, ને પોતે અહીં નગરમાં જ અપ્રમત્તપણે રહે છે. ગોચરી-પાણી પુષ્પચૂલા સાધ્વીજી મૂકી જાય છે. બને છે એવું કે એકવાર સાધ્વીજી વરસાદમાં ગોચરી લઈ આવ્યા.
આચાર્ય મહારાજ એમને પૂછે છે - ‘આવું કેમ કર્યું ? વરસાદમાં તો કાચા પાણીના અસંખ્ય અપ્કાય-જીવોની વિરાધના થાય, પછી એમાં ચાલી તમે ગોચરી કેમ લાવ્યા ?'
સાધ્વીજી કહે છે, ‘હું અચિત્ત (નિર્જીવ) પાણીમાંથી લાવી છું.' સૂરિજી ચોકે છે ! પૂછ્યું, ‘અચિત્ત ક્યા જ્ઞાનથી જાણ્યું ?'
જ્યાં સાધ્વીજીએ કહ્યું કે ‘અપ્રતિપાતી જ્ઞાનથી, કેવળજ્ઞાનથી.' ત્યાં આચાર્ય મહારાજને પારાવાર પસ્તાવો થયો ! કે -
=
આચાર્યશ્રીનો પસ્તાવો :
અરે ! આ મેં શું કર્યું ? કેવળજ્ઞાની ભગવંત પાસે મેં સેવા કરાવી ? ગોચરી મંગાવી ? કોણ જાણે કેવળજ્ઞાન તો ક્યારે ય થયું હશે ? કેટલાક દિવસથી મારે ગોચરીમાં આહાર જોઈએ તેવો અને જોઈતા પ્રમાણમાં જ આવતો હતો. મને મૂર્ખને આ ખબર ન પડી. મેં માની લીધું કે આ તો રોજના ટેવાઈ ગયા છે, મારી પ્રકૃતિ સમજી ગયા છે, તેથી બરાબર માપસર અને જરૂરી લઈ આવે છે. પરંતુ ખરેખર તો કેવળજ્ઞાનથી જ બરાબર જોઈને એ પ્રમાણે થતું હશે ! તો કેવળજ્ઞાનીની સેવા કરીને તરી જવાને બદલે આ રે રે ! મેં કેવળજ્ઞાની પાસે સેવા કરાવી આ ડુબવાનો ધંધો કર્યો ? કેવી મારી આ નાલાયકતા ?'
આચાર્ય મહારાજ ઝટ ઊભા થઈ હાથ જોડીને પગે પડી કહે છે, ‘ભગવતી ! આ હું કેવો નાલાયક કે આપ જ્ઞાની પાસે મજુરી કરાવી ? તો તો મારે હજી કેટલા ભવ ભટકવાનું છે ?’
Jain Education International
***
For Private & Personal Use Only
www.jainelibrary.org