SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને જીવન ૧૦સુસ્ત મુડદાલ રાખ્યા કરાય ? સાધના પૂરી થઈ એટલે “હાશ પત્યું એવો છૂટકારાનો દમ ખેંચાય ? બાહ્યની લંપટતાના તામસભાવ હોયે, સાધનામાં જોસ શી રીતે આવે? એની એ જ સાધના છતાં આગળ વધવું હોય તો ઘણું ઘણું કરવા જેવું છે. હોંશ અને જોસ એવા વધારતા જવાય કે “હોંશ'ની પાછળ નક્કર ભોગ આપવાનું . કરતા રહેવાય અને “જોસ” ની પાછળ શરીર ઈન્દ્રિયો અને મનની એકાગ્રતા-સ્થિરતા-તન્મયતા અને અપ્રમાદ જોરદાર બનાવતા જવાય. રખડતા મનનો તામસભાવ પડતો મૂક્યા વિના આ ન બને. ત્યારે, (૩) પરિણતિ વધારતા જવાય એટલે? : બાહ્ય સાધનાને અનુરૂપ અંતરના ભાવમાં વૃદ્ધિ કરતા જવાય. દા.ત. દાન દીધું, ત્યાં હૃદયમાં ધનમૂચ્છનો ત્યાગ વધતો આવે, ધન પ્રત્યે ધૃણા વધે, અભાવ વધતો જાય. એમ દા.ત. તપ કર્યો ત્યાં આહારની પ્રત્યે કંટાળો વધે. વ્રત લીધા ત્યાં વિષયો પર ગ્લાનિ વધતી જાય,... એ બધું પરિણતિ ઉચ્ચ-ઉચ્ચતર બનાવી કહેવાય. પુષ્પચૂલાની સાધના કેમ વધતી? પુષ્પચૂલા સાધ્વી આ કરી રહી છે. એ સમજે છે કે “ચારિત્ર આ ને આ જ નગરીમાં રહીને પાળવાનું છે. એમાં વળી નગરની રાણી તરીકે હતી એમાંથી સંસારત્યાગી સાધ્વી બની છું તો લોકનાં માન આદર ખૂબ રહેવાના, એટલે સંયમમાં શિથિલતા આવવા મોટો સંભવ છે. માટે સાધનામાં હોંશ, જોસ અને આભ્યન્તર પરિણતિ વધારતા જ રહેવાનું, જેથી ક્યાંય બાહ્યમાં લપટાઈ જવાય નહિ અને “મિયા ઠેરના ઠેર' જેવી સ્થિતિ ય ન રહે.” રાજાએ પણ રાણીને આ નગરમાં જ જીવનભર રહેવાની શરતે દીક્ષાની અનુમતિ આપી છે તે અહીં ને અહીં એનાં દર્શન મળ્યા કરે એટલા માટે. એટલે એ પણ દર્શનાર્થે આવતો હોય, તેથી સાધ્વીને એના પ્રત્યે રાગ વધવાનો કે ઊભો રહેવાનો સંભવ છે. હવે જો ચારિત્રસાધનામાં ત્યાગ-વૈરાગ્ય-તપ-સ્વાધ્યાયમાં આંતર હોંશ-જોશ-પરિણતિ વધારતા ન જવાય, તો બચવાનું શી રીતે બને ? એમ તો ચારિત્ર લઈને સંયમભાવમાં આગળ ને આગળ વધવાનું જ હોય, પરંતુ સામે પ્રલોભક કે બાધક સંયોગ હોય ત્યાં તો ખાસ કરીને સંયમમાં હોંશ, જોશ અને પરિણતિ વધારતા રહેવાનું છે. કેવળજ્ઞાન પામવાની આ ભૂમિકા છે. સિદ્ધ થવું છે? તો સાધકે સાધનામાં આ રીતે આગળ ને આગળ વધતા જ રહેવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy