SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ 10 ધ્યાન અને જીવન દેવદર્શન, નવકાર-સ્મરણ વગેરેમાં દિનપ્રતિદિન હોંશ વધારાય, જોસ વધારાય, ઊંચી ઊંચી પરિણતિ વધારતા જવાય. હોંશથી ઉલ્લાસ ભારે વધતો ને વધતો રહે. જાપ, સ્મરણ કરવામાં જોસ એટલે શરીરનો અપ્રમાદ, દેષ્ટિની સ્થિરતા અને કાનની અંતર્મુખતા વધુ ને વધુ જામે. તેમજ પરિણતિથી વીતરાગ દેવ અને નિર્ચન્થ ગુરુ તરફ શરણ, ઝુકાવટ અને મૂલ્યાંકન વધતાં ને વધતાં ચાલે. આમ પ્રયત્ન ચાલુ જોઈએ તો ચાલુ સ્થિતિમાં ય આગળ વધાય. પરંતુ ધ્યાન રાખજે, બીજી બાજુએ અર્થ-કામની લાલસાના તામસભાવ ઓછા કરવાની તૈયારી હોય તો આ બને. એ તામસભાવ ઘટાડીને દરેક ધર્મસાધનામાં હોંશ-જોસ-પરિણતિ વધારતા જવાય એ જરૂરી છે. સાધના એની એ જ, પણ એમાં હોંશ, જોસ અને આંતર પરિણતિ વધતી ને વધતી રહે, એ કાર્ય જિંદગીના છેડા સુધી પાવતુ વિતરાગ બનવા સુધી ચાલુ રહી શકે છે. “હવે વધુ અમારાથી શું થાય ?' કહેવાનું અજ્ઞાનતાભર્યું છે, વધારે કરવું હોય તો કરવાનું આ ઘણું છે. જુઓ આ ત્રણમાં શું શું કરાય? (૧) વધુ ઉલ્લાસની પાછળ શું? : સાધનામાં હોંશ ઉલ્લાસ વધુ આવ્યો એ શી રીતે માનીએ ? કહો, એની પાછળ કોઈ વધારે ભોગ આપવાનું રાખીએ. રાખો છો ? કોઈ તીર્થદર્શન થયું, ક્યાંક અપૂર્વ અદ્ભુત અંગરચનાયુક્ત પ્રભુનાં દર્શનનો લાભ મળ્યો, ઉલ્લાસ ખૂબ આવ્યો, તો એની પાછળ એની કદરરૂપે ઉપવાસ કે આંબેલ યા વિગઈત્યાગ કરવાની વાત ખરી ? એ આનંદ પાછળ શુભ ખાતે પાંચ પૈસા ખરચવાનું બને છે ખરું ? જો એવો કશો જ ભોગ આપવાનો નહિ, તો તો એનો અર્થ એ કે “ઉલ્લાસ વધુ આવ્યો એટલે કે આ સાધના બહુ ગમી, ને એમાં બહુ આનંદ ઊછળ્યો એટલું જ, પરંતુ એના કરતાં મારાં ખાનપાન ને મારા પૈસા મને વધુ ગમેલા છે, એમાં વધારે આનંદ રહેલો છે.” દર્શન કરતી વખતે અંદરમાં ઊતરી હૈયું તપાસાય તો એ હૈયાનો આ ગુપ્ત અવાજ માલુમ પડે કે “ભગવાન તમે બહુ વહાલા, પણ તમારા કરતાં મારા પૈસા ને મારાં ખાનપાન વધારે વહાલા... હજી પૈસા ખાતર તમારો ઉપયોગ કરું, પણ તમારી ખાતર પૈસા ન તોડી નાખું', શું આ જ હોંશ ને ઉલ્લાસ ને ? પૈસા અને વિષયસુખોના વહાલના તામસભાવ સાચા ધર્મ-ઉલ્લાસ નથી જાગવા દેતા. અનંત ઉપકારી વીતરાગ પરમાત્મા મળવા છતાં જડના રાગ એના એ જ રહે ? (૨) વધુ જોસ એટલે ત્યારે સાધનામાં જોસ વધુ આવે ત્યાં શું અપ્રમાદ અને સ્થિરતા ખૂબ વધતી જતી ન હોય? શું પહેલાની જેમ આંખ એનાં એ જ ડાફોળિયાં માર્યા કરે ? શું ચિત્ત એનું એ ચંચળ રહી આડાઅવળા ભૂરાં કુટ્યાં કરે ? શરીર એવું ને એવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy