________________
ન ધ્યાન અને જીવન ૧૦૧ - દેવદર્શનાદિ ધર્મસાધના આમ તો એની એ જ થતી હોય, પરંતુ
(૧) દિન-પ્રતિદિન એ દેવદર્શનાદિ વધુ ને વધુ હોંશથી થાય, એ હોંશ આગળ બીજા-ત્રીજાને મળવા કરવાની હોંશ મંદ પડી જાય, ફિક્કી પડી જાય, એવી હોંશવાળી દેવદર્શનાદિ ધર્મસાધના એ હોશિલી.
(૨) વળી એમાં તન-ધનની સાધનસામગ્રીનો વધુ ને વધુ ભોગ અપાય. દા.ત. દેવદર્શન-પૂજનમાં વધુ સારાં સારાં પોતાનાં પૂજનદ્રવ્યો લઈ જવાય..., વગેરે એ જેસિલી.
(૩) ત્યારે દેવદર્શનાદિમાં – (૧) મનની વધુ ને વધુ તીવ્ર એકાગ્રતા રખાય, (૨) ભાવોલ્લાસ વધારતા જવાય, એ ભાવોલ્લાસ એવા કે (૩) દુનિયા તદ્દન ભૂલી જવાય, (૪) સંસાર વધુ ને વધુ અકારો લાગતો જાય, (૫) એક બાજુ ધર્મસાધનાના ભાવમાં તન્મયતા વધે અને બીજી બાજુ સંસારના પદાર્થો પ્રત્યે આસંગભાવ ઘટતો આવે, આનું નામ ઉચ્ચ-ઉચ્ચતર ધર્મસાધના.
આમ વધુ ને વધુ હોશિલી, જોસિલી અને ઉચ્ચ-ઉચ્ચતર ધર્મસાધના કર્યો જવાય એથી મનોબળ-મનઃશુદ્ધિ ખૂબ વધે.
ઘણા માણસો કહે છે કે “અમે દેવદર્શન-પૂજા-સામાયિકાદિ બનતું બધું કરીએ છીએ. હવે બીજું વધારે તો અમારાથી આ સંયોગોમાં શું થાય ?'
પરંતુ એમને બિચારાને આ ક્યાં ખબર છે કે જેટલું કરાય છે એમાં ય આગળ આગળ વધવાને કેટકેટલો અવકાશ છે ? કેટલી બધી હોંશ, જેસ અને ઉચ્ચતર પરિણતિ એમાં વધારી શકાય છે ? શું તમે એમ માનો છો કે જેવું પ્રભુદર્શન શયંભવ બ્રાહ્મણે કર્યું, એવું તમે કરી રહ્યા છો ? એને તો યજ્ઞના સ્તંભ નીચેથી પ્રભુપ્રતિમા મળી તો એનાં દર્શન પર ઓવારી જઈ પ્રભુનાં તત્ત્વ જાણવાની તીવ્ર જિજ્ઞાસા જાગી, તે યજ્ઞ પડતો મૂકી પહોંચ્યો આર્યપ્રભવસ્વામી પાસે ! ને તત્ત્વ સાંભળી, એ જચી જતાં ત્યાં જ ચારિત્ર લીધું. કેવું ક એ દર્શન હશે ? તામસભાવનાં તાંડવો દિલને આવાં દર્શનમાં જવા નથી દેતાં. ચાલુ સાધનામાં વધુ શું કરવા જેવું? :
ત્યારે શું એમ માનો છો કે શ્રેણિકરાજા વીરપ્રભુનું જે સ્મરણ કરતા હતા, તેવું આપણે કરીએ છીએ ? એ શ્રેણિક તો આ સ્મરણના જોસ અને હોંશ પર, પ્રભુની સુખશાતા-આબાદીના સમાચાર લઈ આવનારને વધામણીમાં સુવર્ણદાનથી નવાજી દેતા. આપણે શું કરીએ છીએ ? અર્થ - કામની મૂર્છાના હૈયે તામસભાવ રમતા હોય ત્યાં આ શે બને ? નવકારનું ચિંતન-સ્મરણ કરાય એમાં પરમેષ્ઠીનું ચિંતન કરતાં ક્યારેક અપૂર્વ આલ્હાદ આવ્યો ખરો ? ને આવ્યો તો કોઈ ભારે ભોગ આપ્યો ખરો ? ખાનપાન-રંગરાગના તામસભાવમાં ભોગ શી રીતે અપાય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org