SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦૦નું ધ્યાન અને જીવન - રાગનાં નિમિત્તોની વચ્ચે રહી રાગથી શે બચાય? કામપાત્રોના સંગમાં વાસના કેમ ભૂલાય ? ઘર એટલે તો પાપનું ઘર. ત્યાં સદા સત્તર પાપસ્થાનક ચાલુ ! એમાં ય જો એ પાપો પર અંધ રાગ, એનું નિર્ભીક સેવન, તો અઢારમું ખતરનાક મિથ્યાત્વ-શલ્ય પાપ પણ આવતાં વાર નહિ. માટે એકવાર આ પાપઘરમાંથી તો નીકળી જવું. પછી બહારનાં નિમિત્તોથી તો પ્રયત્ન રાખીને બચી જવાશે.” પુષ્પચૂલાને કેવળજ્ઞાનનું રહસ્ય : પુષ્પચૂલાએ આચાર્ય મહારાજ પાસે દીક્ષા લીધી. જુઓ એ કેવળજ્ઞાન પામવાની છે. કેમ ? જો કે એ નગરમાં જ રહે છે, પણ એ સમજીને રહે છે, વિશેષ એવી સાવધાની રાખીને રહે છે કે “એક સ્થાને બેસી રહેવામાં રાગ-મમત્વ-શિથિલતા-પ્રમાદ વગેરે .. નેક દોષો સુલભ છે, ને તેથી સંયમ ભાવ ઘવાય', માટે મન પર બરાબર કડકાઈ રાખીને સાધના કરે છે, ઊંચી ઊંચી પરિણતિથી ત્યાગ, તપ, સ્વાધ્યાય, શુભ ભાવો, શુભ ભાવનાની સાધના કરે છે. ઊંચી ઊંચી પરિણતિથી સાધનામાં આગળ વધાય તો જ સંભવિત દોષોથી બચાય. સાધનામાં આગળ આગળ વધવાનો ઉત્સાહ અને વેગબંધ પુરુષાર્થ શું કરે? તો કે એ દોષોને અનુકૂળ થનારા મન-મંદવાડને દૂર જ રાખે છે. જુઓ, દા.ત. ઘરેથી દુકાને જવા ઉત્સાહ અને વેગિલા ઉદ્યમથી નીકળ્યા, તો રસ્તામાં કોઈ પૈસા કમાવવા સિવાયની વાત કરવા મળે ત્યાં વાતમાં લોભાવાતું નથી, ઊભા નથી રહેવાતું, ઝટ દુકાન તરફ જવાય છે. પણ જો એમ જ શાક ખરીદવા બજારે ચાલ્યા, તો ત્યાં કોઈ મનનો એવો વેગ નથી કે આ ઝટ શાક ખરીદી ઘરે આવું. તેથી રસ્તામાં કોઈ હરિનો લાલ મળ્યો તો લલચાઈ જવાય છે, ને કચરાપટ્ટી વાતોમાં ય અડધો કલાક ઊભા રહી જવાય છે ! બસ, એવું ધર્મસાધનામાં સમજવાનું છે. જો વેગબંધ પુરુષાર્થથી હોંશ અને જેસથી એમાં કામ ધપાવ્યું રાખ્યું, સાધનાની ઊંચી ઊંચી કક્ષામાં જો આગળ આગળ વધતા ગયા, તો એ મનના પ્રબળ વેગ અને ઉત્સાહ સામે મન દોષોની લલચામણીમાં નહિ તણાય, એ તામસભાવમાં નહિ પડે. દોષોનાં પ્રલોભનમાં પડતાં તામસભાવ માથે ચડી બેસે છે. માટે તામસભાવને રોકવા દોષોની લાલચ દબાવવી જોઈએ. એ તો ધર્મસાધનામાં ઉત્સાહ અને વેગબંધ પુરુષાર્થથી બને. પૂછે છે, પ્ર. - ધર્મ કરવા છતાં મને કેમ પાપમાં તણાઈ જાય છે? ઉ. - આ જ કારણે, કે ધર્મસાધનાને વધુ ને વધુ (૧) હોંશિલી, (૨) જોસિલી, ને (૩) ઉચ્ચ-ઉચ્ચતર ઉચ્ચતમ નથી બનાવાતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy