________________
ધ્યાન અને જીવન
અર્ણિકાપુત્ર અને પુષ્પચૂલાનું દૃષ્ટાન્ત :
પુષ્પચૂલા આમ તો રાજાની રાણી, પણ એ પતિ રાજા પોતાનો સગો ભાઈ જ પતિ બનેલો ! અવિવેકી બાપે ભાઈ-બેનનો અગાધ પ્રેમ દેખી બન્નેને એક બીજા સાથે પરણાવી દીધેલા ! તેથી પોતાના સંતાનમાં આ ન ઈચ્છતી માતાએ વૈરાગ્ય પામી ચારિત્ર લીધું. સારી સાધના કરી એ સ્વર્ગમાં ગઈ. ત્યાંથી આ સ્થિતિ જોઈ પુષ્પચૂલાને સ્વર્ગ-નરકનાં દૃશ્ય સ્વપ્નમાં દેખાડ્યાં. છોકરીને કેમ બતાવ્યાં, છોકરાને કેમ નહિ ? એટલા માટે કે છોકરીના હૃદય કોમળ અને વિનયભર્યાં. કૃષ્ણ વાસુદેવ શું કરતા હતા ? છોકરીઓને સમજાવીને નેમનાથ પ્રભુ પાસે ચારિત્ર અપાવતા. ‘છોકરાઓ તો ઉંમરમાં આવ્યા એટલે અહંત્વ વધ્યું, બુદ્ધિનું અભિમાન જાગ્યું, દિલ કઠોર બન્યા, એ શાના એમ સમજી જાય ?' આવું કાંઈક જોયું હશે, એટલે છોકરાઓને સમજાવવાની માથાકુટમાં ન પડ્યા, પણ છોકરીઓને સહેજમાં સમજાવી સમજાવી ચારિત્રમાર્ગે ચડાવી દેતા ગયા. અહીં માતા દેવે પુત્રી પુષ્પચૂલાને બૂઝવવા નરકનાં સ્વપ્ન દેખાડ્યાં.
૯૯
પુષ્પચૂલાએ નગરમાં બીજા-ત્રીજાને સ્વર્ગ-નરકનાં સ્વરૂપ પૂછ્યાં, પણ ખરો ઉત્તર ન મળ્યો. ત્યારે અર્ણિકા પુત્ર આચાર્યો, એણે જેવું દેખેલું, એવું સ્વરૂપ જૈન શાસ્ત્રાધારે કહી બતાવ્યું. !
પછી તો પુષ્પચૂલાને ભારે શ્રદ્ધા થઈ, તેથી પૂછ્યું કે ‘પ્રભુ ! આવી ઘોર દુઃખભરી નરકમાં કયા કારણે જવાય ?’
આચાર્ય મહારાજે, મહારંભ, મહા પરિગ્રહ, રૌદ્રધ્યાન, કૃષ્ણલેશ્યા, વિષયાંધતા, પરિગ્રહાંધતા',... વગેરે કારણો બતાવ્યાં. સાંભળીને પુષ્પચૂલાને પોતાના લગ્ન પર અને એવા સંસાર પર તિરસ્કાર છૂટ્યો, તીવ્ર વૈરાગ્ય થયો, આગ્રહપૂર્વક રાજા પતિ પાસે દીક્ષાની રજા માગી. રાજાએ એક શરતે રજા આપી કે ‘દીક્ષા લઈને જીવનભર આ નગરમાં જ રહેવાનું, જેથી મને તમારાં દર્શન તો
મળે’
પુષ્પચૂલા શું કરે હવે ? પતિની રજા વિના કોઈ દીક્ષા આપે નહિ, ને દીક્ષા લીધા પછી સંયમભાવ ટકાવવા એક સ્થાને બેસી રહેવું પાલવે નહિ. પણ પુષ્પચૂલા જુએ છે કે
Jain Education International
‘હજી ય દીક્ષા લીધા બાદ ભલે એક સ્થાને રહેવું પડે, પણ રાગનાં નિમિત્તોથી આઘા રહેવાની અને વિશેષ સાવધાની રાખવાથી સંયમભાવ ટકાવી શકાશે, પરંતુ દીક્ષા વિના ઘરે બેસી રહેવામાં તો મોત જ છે.’
ઘરે કેમ મોત ?
For Private & Personal Use Only
www.jainelibrary.org