SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીરકથા બ્રાહ્મણ તથા પરિવાજક સંબંધી નીતિશાસ્ત્રમાં તથા દર્શનશાસ્ત્રોમાં પણ તે ઘણે ચતુર હતો.' અષાઢ માસના શુકલપક્ષની છઠ્ઠી રાત્રીએ નંદનનો જીવ દેવલોકમાંથી એવી દેવાનંદ બ્રાહ્મણીની કૂખમાં પુત્ર તરીકે પ્રવિષ્ટ થયું. તે વખતે “દુષમસુષમા' નામના ચોથા આરાનાં પતેર વર્ષ અને સાડાઆઠ માસ બાકી રહ્યાં હતાં, તથા ઉત્તરાફાલ્સની નક્ષત્ર પ્રવર્તતું હતું, - જે રાત્રે દેવાનંદાની કુખે ભગવાન ગર્ભરૂપે અવતર્યા, તે રાત્રે દેવાનંદાએ કલ્યાણમય તથા મંગળકારી નીચેનાં ચૌદ મહાસ્વપ્ન જોયાં. ૧. પ્રથમ તો (મેહરૂપી પંકમાં ખેંચી ગયેલા ધર્મરૂપી રથને ઉદ્ધાર કરવામાં સમર્થ પુત્રની પ્રાપ્તિ સૂચવનાર) સફેદ જમ જે. ૨. પછી (મહંત પુરુષોને પણ ગુરુ અને ઘણા બળના એક સ્થાનરૂપ પુત્રને સૂચવનારે) ત હાથી જે. ૩. પછી (પુરુષમાં સિંહરૂપ, ધીર, નિર્ભય, શુરવીર અને અખલિત પરાક્રમવાળા પુત્રને સૂચવતા) ર-સિંહ જોયો. ૪. પછી (ત્રલક્યની સામ્રાજ્યલક્ષ્મીનું અધિપતિપણે પ્રાપ્ત કરનાર પુત્રને સૂચવતાં) શ્રીદેવી દીઠાં. ૫. પછી (પુણ્ય દર્શનવાળો તથા અખિલ જગત જેની આજ્ઞાને માળાની પેઠે મસ્તક ઉપર વહન કરનાર છે એવા પુત્રને સૂચવતી) જુગમાઝા દીઠી. ૧. ભગવતીઃ ૯ઃ ૩૩. જનો કાળચક્રના બે ભાગ પાડે છેઃ ઉત્સર્પિણ (બધી બાબતમાં શ્રેષ્ઠ તે જાતે ભાગ) અને અવસર્પિણ (બધી બાબતમાં ઊતરત જતો ભાગ). તે દરેકના છ ભાગને છ આરા કહેવામાં આવે છે. તેમની વર્ષ સંખ્યા વગેરે માહિતી માટે જુઓ આ માળાનું “ આચારધમ પુસ્તક બીજી આવૃત્તિ પા. ૧૫૮.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy