SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીરજન્મ ૭. ગર્ભાવસ્થા ભગવાન મહાવીરનો જન્મ કયા દેશમાં ક્યા લેકમાં થયો હતો તેને ખ્યાલ મેળવવા માટે આપણે આટલો વિસ્તાર જાણી લીધો.૧ હવે આપણે આગળ ચાલીએ. વૈશાલી નગરીની દક્ષિણે આવેલા બ્રાહ્મણપરામાં ઋષભદત નામે કડાલગાત્રી બ્રાહ્મણ તેની જાલંધરાયણત્રી ભાર્થી દેવાનંદા સાથે રહેતો હતો. તે ઋષભદત ટ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એ ચારને, પાંચમા ઈતિહાસપુરાણુને, તથા છઠ્ઠા નિઘંટુ નામના કેશને સાંગોપાંગ અને રહસ્ય સહિત પ્રવર્તક, યાદ કરનાર, તથા તેમાં થતી ભૂલને અટકાવનાર હતે. વળી તે વેદનાં છ અંગને જ્ઞાતા હતા, તથા ષષ્ટતંત્ર (કપિલીય) શાસ્ત્રમાં વિશારદ હતે. ગણિતશાસ્ત્રમાં, શિક્ષાશાસ્ત્રમાં, આચાર (૫) શાસ્ત્રમાં, વ્યાકરણશાસ્ત્રમાં, છંદશાસ્ત્રમાં, વ્યુત્પત્તિશાસ્ત્રમાં, જ્યોતિષશાસ્ત્રમાં અને બીજા ઘણું ૧. ઉપરના ઘણાખરા ઉતારા બૌદ્ધગ્રંથમાંથી લીધા છે. તેનું કારણ એ છે કે, જેનગ્રંથોમાં ખાસ વૈશાલી માટે કોઈ વર્ણન સંધાયું નથી. બહુ પછીના વખતમાં (ઈ. સ. ૪૫૪માં) જ્યારે જન અંગ ગ્રંથે એકત્રિત તથા વ્યવસ્થિત કરવામાં આવ્યા, ત્યારે પ્રાચીન કાળની ઐતિહાસિક પરિસ્થિતિ ભુલાઈ જવા આવી હતી અને તેથી અંગમમાં આવતાં તમામ નગર તથા રાજાઓ માટે એક જ શબ્દમાં અમુક વર્ણને પસંદ કરી બધાંને એક સરખાં જ લાગુ કરવામાં આવ્યાં. એટલે એ નિયત વર્ણન ઉપરથી જુદાં જુદાં નગરની વિશેષતા વિષે જરા પણ ખ્યાલ આવે તેમ રહ્યું નથી. ઉપાસકદશાસૂત્રમાં વાણિજ્યગ્રામ અથવા વૈશાલીને રાજા જિતશત્રુ કહ્યો છે. સૂર્ય પ્રજ્ઞપ્તિમાં તેને વિદેહની રાજધાની મિથિલાને રાજ કહ્યો છે. ખરી રીતે વિદેહ-મિથિલા-વૈશાલી-વાણિજયરામ જુદા ન હતાં, તથા રહ્યાં ન હતાં એટલે જિતરાત્રુ નામ કે વિશેષણ વૈશાલીના રાજ ચેટકનું જ ગણવું જોઈએ.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy