SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ શ્રી મહાવીરન્કથા ભગ્ન હદય, તેમના સાંનિધ્યમાં એક વાર તો સજીવન થઈ જાય છે. “બધું થયું પણ વિચિત્ર જ! નદીકિનારે હદયાફાટ કલ્પાંત કરતા કુમારને એક ગોવાળ લઈ ગયે, અને એક દિવસ તે ગોવાળ તે કુમારને લઈ નવક્રમના જ દરબારમાં ભેટ ધરવા આવ્યો. રાજાએ તરત પિતાના કુમારેને ઓળખી લીધા. શીલવતીને લઈને નાઠેલા દેહિલના વહાણને પણ અચાનક એવું સામુદ્રિક તેફાન નડયું કે, પોતે કરેલા પાપકર્મનું જ આ ફળ છે એમ માની, શીલવતીને બહેન તરીકે સમાનતે તે વહાણવટી તરત પાછો ફર્યો અને નરવિક્રમ રાજાની જયવર્ધન નગરીને કિનારે જ લાંગર્યો. તે વખતે રાજાના કુમારને વહાણ જોવાનો શોખ થયો, અને તેઓ જેવા દેહિલના વહાણે ગયા તે શીલવતીને તેમને મેળાપ થયો. આમ સૌ હેમખેમ એકઠાં મળ્યાં. તેવામાં નરસિંહ રાજાને નવિક્રમની ભાળ લાગતાં તેણે પણ નરવિક્રમને બોલાવવા તેડું મોકલ્યું અને સૌ સુખરૂપ પાછાં ભેગાં થયાં. નરવિક્રમે ગુરુજીને નમન કરીને ગદ્ગદ્ કંઠે જણાવ્યું કે, આ સૌ આપના સત્સંગનું અને આપની સેવાનું જ સફળ છે. ખરે જ, સંતપુરુષોને સમાગમ નિષ્ફળ નથી જતો.” નંદન રાજાને આ કથા સાંભળી ગુરુ પ્રત્યે અપૂર્વ ભક્તિભાવ પ્રગટયો, અને તેમનાં ચરણેમાં માથું મૂકીને તે બે, હે ભગવન ! સંતપુરુષો મહાતાપથી તપ્ત થયેલા પ્રાણીને અમૃતવૃષ્ટિ સમાન છે; ભૂખ્યાને પરસ ભેજનના ભંડાર સમાન છે; દુભાંગીને ચિંતામણિ તુલ્ય છે; અંધારામાં આથડતાને મણિદીપક જેવા છે; મહાસાગરમાં પડેલાને આધારદ્વીપ તુલ્ય છે; અને વિકટ મહારશ્યમાં ભૂલા પડેલાને સાર્થવાહના સંધ સમાન છે. આપના રાષ્ટ્રના નિત્ય સાન્નિધ્યને હું મારા સર્વભવગો માટે
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy