SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પચીસમે ભવનદનરાજની કથા પરમ ઔષધરૂપ માનું છું. આજથી હું મારી રાજ્યસંપત્તિ મારા પુત્ર વગેરેને સોંપી આપને જ સહવાસ સેવવા ઇચ્છું છું. સત્સંગના પરમ લાભના અનુભવી અને ઉપદેશક ગુરુને વધુ વિનંતી કરવાપણું હતું નહીં. રાજા પિતાની સર્વ જવાબદારીઓ નિર્વિને પુત્રા દરે સેંપી શકે તેવી સ્થિતિમાં છે, તથા તેનું ચિત્ત નિત્ય સત્સંગથી લાભ ઉઠાવી શકે તેવી સ્થિતિએ પહેચેલું છે એવું જાણું, તેમણે પણ તેને તેમ કરતા રોક્યો નહીં. નંદનરાજા હવે દીક્ષા લઈ ગુરુ સાથે વિચારવા લાગ્યા. સત્સંગની શીળી છાયામાં રહેતા ચિત્તમાં સર્વ ગુણરૂપી પક્ષીગણ પિતાની મેળે જ ખેંચાઈને ચાલ્યાં આવે છે. તે મુજબ નંદનમુનિનું ચિત્ત પણ થોડા વખતમાં બંધન (રાગદ્વેષ)રહિતતા, ધર્મપરાયણતા, વિઘોથી હણાયા છતાં ધર્મોદ્યોગમાં અમ્મલિતતા, વૈરાગ્ય, અપ્રમાદ, સ્વાધ્યાયમાં આસક્તિ, જિતેદિયતા, સદાચારીપણું, જીવરક્ષા, મદરહિતતા, બ્રહ્મચર્ય, તાપરાયણતા, તિતિક્ષા, સ્પૃહારહિતતા વગેરે અનેકવિધ ગુણસંપત્તિથી ફૂલી-ફાલી ઊયું. પરંતુ જે વિશિષ્ટ ૧૦ ગુણોની આરાધનાથી પછીને જન્મ તેમને તીર્થંકરપદ પ્રાપ્ત થયું, તે તો જુદા જ છે. પરિભાષામાં તે વીસ ગુણેને વીસ સ્થાનક કહે છે. તે નીચે પ્રમાણે છે – ૧. ગારિતિષિા: જે કાઈ અહંતભગવાન પોતાના જમાનામાં વિચરતા હોય, તેમની, કે તેમને અભાવે તેમના પ્રતીકની (તેમની મૂર્તિ વગેરેની) શુદ્ધ હદયે ભક્તિ. ૨. હિમશિઃ પિતાની પહેલાં કર્મબંધનનો નાશ કરી સિદ્ધપદ પામેલા મહાપુરુષોની ભક્તિઃ તેમના ગુણનું રટણ અનુકરણ ઇ . ૩. દવાનાળિઃ જિનેની આજ્ઞાનું પાલન કરવા કટિબદ્ધ થનાર સંધ “પ્રવચન' કહેવાય છે. વાછરડા ઉપર જેમ ગાય વી હતીતેમની
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy