SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ પચીસમો ભવ: નંદનરાજની કથા ભરતખંડમાં છત્રા નામે નગરીમાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતા હતા. તેને યથાર્થ નામવાળી ભદ્રા નામે સ્વરૂપવતી છતાં માયારહિત એવી પરમપ્રિય રાણી હતી. પ્રિયમિત્રને જીવ દેવલોકમાં પોતાનું આયુષ્ય પૂરું થતાં ભદ્વારાણની કુખે પુત્ર તરીકે જન્મ્યો. તેનું નામ નંદન પાડવામાં આવ્યું. - મરીચિને જીવ હવે કર્મોનાં સારાં-નરસાં ફળો અનુભવ પરિપક્વ અવસ્થાને પામ્યો હતો. મહા જગલ પસાર કરી રહેલા મુસાફરને પછીથી જેમ બાકીને સીધો ધોરીમાર્ગ જ વટાવવાને રહે, તેમ નંદનકુમારને હવે આરંભેલ માર્ગે જ પુરુષાર્થીપણે આગળ ધપે જવાનું હતું. તે કામ સહેલું હતું એમ કહેવાનો આશય નથી; પરંતુ આંતર બાહ્ય અનેક વિદ્યા આવી આવીને અધવચ જ કેટલાંય જીવનયાત્રીઓની મુસાફરી તોડી પાડે છે, તેવું હવે નંદનની બાબતમાં રહ્યું નહોતું. હવે પછીના માર્ગનું મુશ્કેલપણું ભારે હતું, તે સામે નંદનને જીવ પણ તેવી અનેકાનેક મુશ્કેલીઓ વટાવતે વટાવતો રીઢા બની ગયા હતા. નંદનકુમારને યથાક્રમે રાજાએ રાજ્યાભિષેક કર્યો, અને પોતે સંસારનુભવના પરિપાકરૂપે પ્રાપ્ત થયેલું ત્યાગી જીવન સ્વીકાર્યું. પૂર્વજન્મના સંસ્કારથી કહે, કે ભવિષ્યમાં આવનારી વસ્તુની છાયા કદાચ અગાઉથી પડતી હોય તે કારણે કહે –
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy