SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ તેવીસમો ભવઃ પ્રિય મિત્ર ચકવતીની કથા પ. સંપન્ન થયો કે તરત તેના હૃદયમાં ધર્મ બીજ વાવનાર યોગ્ય ગુરુ મળી આવ્યા. દીવો સળગે, તે પતંગિયાં આવી પહોચે. તેલમાં દીવેટ જેમની તેમ ગમે તેટલાં વર્ષ પડી રહે, પરંતુ પતંગિયું તેની પાસે કદી નહીં આવવાનું. પરંતુ એક વાર જાત સળગી, કે તરત પતંગિયાં ખેંચાયાં જ છે. ગુરુશિષ્યના મેળાપનું કંઈક આવું છે રાજાને સમાચાર મળ્યા કે, એક સંતપુરુ શિખ્યપરિવાર સાથે નગરના ઉધાનમાં પધાર્યા છે. રાજા તરત તેમનાં દર્શને ગયા. તેમને યોગ્ય જાણું રાજાએ પોતાના ચિત્તની બધી મૂંઝવણુ કહી સંભળાવી. આચાર્યો પણ રાજાના ચિત્તને યોગ્ય દશાએ પહેચેલું જાણું, તેને આત્યંતિક તત્ત્વજ્ઞાન કહી સંભળાવ્યું. સૂકાં ઘાસ-પાન વગેરે સામગ્રી તૈયાર હેય, અને તેમાં સળગતી જવાળા ચંપાતાં જેમ એકદમ ભડકે થાય, તેવું જ રાજાનું થયું. વિવેકવૈરાગ્યથી સંપન્ન એવું રાજાનું હદય તે જ્ઞાન મળતાં જ એકદમ પ્રકાશિત થઈ ઊઠયું. તેને બધે આંતર-બાહ્ય પરિગ્રહ એકદમ છૂટી ગયો. પુત્રને ગાદીએ બેસાડી તેણે પરિવજ્યા લીધી, અને ગુરુએ દર્શાવેલ માર્ગે પ્રવર્તતાં તેણે પિતાનું આયુષ્ય ચાવીસમા ભવમાં તે શુક્ર નામના દેવલાકમાં સવર્થ નામના વિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થયા ૧. પદિલાચાર્ય.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy