SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ તેવીસમા ભવ: પ્રિયમિત્ર ચક્રવતી ની કથા પછીના ભાગમાં તેણે વિવેકવૈરાગ્યયુક્ત થઈ, રાજગાદી છેડીને દીક્ષા લીધી. આ વખતે તેણે જે તપ આદર્યું તે એટલું પ્રબળ હતું, કે બીજે જન્મે તેને ચક્રવતી પદ મળે તેમ થયું. વાસુદેવ કરતાં ચક્રવતીના વિજય કે ખડતા હોઈ ખમણેા છે; અને એ રીતે તેની સમૃદ્ધિ તેમજ ભાગય પણ બમણાં હોય છે. વળી, વાસુદેવપદ સકામ સાધનાને અંતે મળતું હું, તે આદિ–અતમાં અહિતકર જ નીવડે છે; એમ કહો કે, ઉગ્ર તપ આગળ ચાલતું ચાલતું અટકી જઈ, અમુક સકામ સાધનાને માર્ગે વળી જાય છે, ત્યારે જ વાસુદેવપદ મળે છે. પરંતુ ચક્રવર્તી પદ અપાવનાર તપ એ રીતે કાઈ નવી કામનાથી ખંડિત થઈ અટકી પડેલું કે અવળે માર્ગે વળેલું હેતું નથી. અલબત્ત, ભગાપભાગના કેટલાક પૂ`સકારા જરૂર તે વખતે મેાબૂદ · હોય છે; પરંતુ તે એવા નથી હોતા કે તેમને વટાવી જવાના અવકાશ જ ન રહે. તેથી ચક્રવર્તી થયેલા જીવ વાસુદેવની પેઠે અધાગિતએ જ જાય એવું નથી હોતું. પેાતાનું ભાગેશ્વર પૂર્વસંસ્કારા અનુસાર ભેગવી લીધા બાદ, તે તેમાંથી નિવૃત્ત થઈ, પેાતાની બાકીની મુસાફરી તે જન્મે જ પૂરી કરી લે, તા તે મેક્ષ પણ પામી શકે કે ઉત્તમ દેવતિ પણ પામી શકે. પરંતુ તે પેાતાના ભાગશ્વ માંથી છેવટ સુધી છૂટા ન થાય, તા તેને માટે નરકમતિ જ નિર્માણુ થાય છે; કારણ કે ચક્રવર્તીનું ભાગશ્વ જેમ માટુ' છે, તેમ તેનું કમબંધન પણ માટુ' છે. વિમલરાજા મૃત્યુ બાદ જ મુદ્રીપના મહાવિદેહ ક્ષેત્રમાં મૂકા નગરીના રાજા ધનજયની ધારિણી નામે રાણીને પેટ પુત્ર તરીકે ઉત્પન્ન થયું. મહાવિદેહક્ષેત્ર જમુદ્દીપનાં ખીજા ક્ષેત્રે કરતાં વિશિષ્ટ પ્રભાવવાળું છે. તે ક્ષેત્રમાં જિનેશ્વર, ચક્રવતી, બળદેવ, વાસુદેવ વગેરે શ્રેષ્ઠ પુરુષા નિરંતર ઉત્પન્ન થયાં કરે છે, ક્યારેય તે ક્ષેત્ર એ બધા વિના ખાલી પડતું નથી.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy