SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ તેવીસમો ભવ: પ્રિયમિત્ર ચક્રવતીની કથા ત્રિપૃષ્ઠ પિતાના પૂર્વજન્મના સંકલ્પથી દક્ષિણ ભરતાધંનના ત્રણે ખંડનું આધિપત્ય પ્રાપ્ત કર્યું, તથા અનુપમ ભેગસામગ્રી ભોગવી. પરંતુ તે બધું પ્રાપ્ત કરતાં તેમજ ભોગવતાં તેણે જે જીવહિંસા કરી, તેને કારણે તેને ૧ભે ભવે નરકગતિ જ પ્રાપ્ત થઈ અને તે પણ છેક છેલ્લા એટલે સાતમા નરકમાં. ત્યાંનું દીર્ઘ આયુષ્ય પૂરું કર્યા પછી, તે કેસરી સિંહ તરીકે જન્મે. તે ૨૦મે ભવ. એવો નિયમ છે કે નરકગતિમાંથી કાંતો મનુષ્યજન્મ પ્રાપ્ત થાય, કે પશુ-પંખીને જન્મ થાય. તેમાંય જે જીવ સાતમા નરકમાં હોય, તેને મનુષ્ય જન્મ પ્રાપ્ત ન થાય, પરંતુ પશુ-પંખીને જ જન્મ પ્રાપ્ત થાય. સિંહના જન્મમાં પણ શૂરપણે જીવહિંસા જ કરવાની હોય છે? એટલે ત્યાંથી મરીને ૨૧ મા ભવમાં તે ચોથી નરકભૂમિમાં નારક તરીકે જ ઉત્પન્ન થયે ત્યાર બાદ પશુપંખી – મનુષ્ય આદિ અનેક જન્મની હારમાળા શરૂ થઈ. વાસુદેવાદિના જન્મ વખતે જે વેગ મળેલો તે ખૂટવો જોઈએ ને! એ બધા જન્મોને કાર્યકર ન માની કથાકાર ગણતરીમાં નથી લેતા. એટલે બાવીસમા જન્મ તરીકે તે એ જન્મને જ સ્વીકારે છે કે, જેમાં તે પૂર્વકર્મ ભોગવવાનું છોડી નવું કાંઈ શુભકર્મ ઉપાર્જન કરી શકે છે. એ જન્મ તે રથપુર નગરના રાજ પ્રિય મિત્રની રાણી વિમલાને પેટે પુત્ર તરીકે થયેલ જન્મ. તે જન્મમાં તેનું નામ વિમલ હતું ૧ યથાકાળે તેને રાજગાદી પ્રાપ્ત થઈ જીવનના ૧. આ નામે વિષણિ૦ માં કે ગુણચંગણવાળા ચરિત્રમાં નથી આપવામાં આવ્યાં.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy