SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ કર શ્રી મહાવીર કથા ગયા જન્મમાં તે તપ-સૌંયમ આચરતા જ મૃત્યુ પામ્યા હતા. એટલે તે કાંઈક સ્વસ્થ રહી શકયા. ત્રિપૃષ્ટ ધીમેધીમે વિષયરસમાં મૂઢ અનતે ચાહ્યું. તે એટલે સુધી કે, એક વખત રાત્રે કેટલાક પ્રખ્યાત ગવૈયાઓનું સંગીત સાંભળતા સાંભળતા તે સૂતા હતા, ત્યારે તેણે પેાતાના શય્યાપાલકને આજ્ઞા આપી કે, હું નિદ્રાવશ થઇ જઉં ત્યારે આ ગવૈયાએનું સંગીત બંધ કરીને, તેમને રજા આપવી. પરંતુ સંગીત સાંભળવાના લાભમાં શય્યાપાલકે ત્રિપૃષ્ઠ નિદ્રાવશ થવા છતાં ગવૈયાઓને રજા આપી નહિ. તેથી જ્યારે પાછલી રાતે ત્રિપૃષ્ઠ જાગ્યું, ત્યારે તેણે સંગીત ચાલતું જ જોયું. તેણે તરત શય્યાપાલકને પૂછ્યું કે, હું નિદ્રાધીન થઈ ગયા ત્યાર પછી મારી આજ્ઞા પ્રમાણે તે ગવૈયાઓને રજા કેમ ન આપી? ' શય્યાપાલકે છેાભીલા પડી જઈ, સત્ય હકીક્ત નિવેદન કરતાં જણાવ્યું કે, · પ્રભુ ! હું તેમના ગાયનથી એટલા માહિત થઈ ગયેા હતા કે, આપની આજ્ઞાનું મને મરણુ રહ્યું નહિ.' ' ત્રિપૃષ્ટ તે વખતે તે કાંઈ મેલ્યા નહિ; પરંતુ ખીજે દિવસે રાજસભામાં તે શય્યાપાલકને પકડાવી મગાવી, તેણે તેના કાનમાં ઊકળતું તાંત્રુ રેડાવ્યું, ત્યારે જ તેને જ પ વળ્યો. આટલા બધા ભયંકર ફ઼ાપ ! તે કાપ વડે જ ગયા જન્મમાં તેણે પેાતાની સકલ તપસમૃદ્ધિ ખરચી નાખીને વાસુદેવને। જન્મ પ્રાપ્ત કર્યાં હતેા; અને આ જન્મમાં પણ પેાતાના કાપને કારણે જ તેણે આવું ઉગ્ર પાપકમ ઉપાર્જન કર્યું. ૧. તે જન્મમાં તે મહાદેવ ક્ષેત્રની પુ`ડરી ણી નગરીના સુખલ નામે રાજા હતા, અને ઉચિત સમયે મુનિમ નામના સંતપુરુષ પાસેથી દીક્ષા લઈ પ્રજિત થયા હતા. મરતા લગી તેમણે ઉત્તમ તપ વિવિધ આયું. હતું. ( ત્રિષ્ટિ પર્વ ૪, સo. )
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy