SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમો ભવઃ રિપૂર્ણ વાસુદેવની કથા ૪૧ તે અરસામાં અગિયારમા તીર્થંકર શ્રેયાંસનાથ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, વિચરતા વિચરતા પિતનપુર આવી પહોંચ્યા અને નગર બહારના ઉલ્લાનમાં ઊતર્યા. તેમને પધાર્યા જાણી ત્રિપૃઇ વાસુદેવ, અચલ બળદેવ વગેરે સૌ તેમને ઉપદેશ સાંભળવા ગયા. શ્રેયાંસનાથ પ્રભુને ઉપદેશ સાંભળી ઘણા લોકેાએ દીક્ષા લીધી. ત્રિપુછ તથા બળદેવને પણ ધમ શ્રદ્ધા તથા ધર્મરુચિ પ્રાપ્ત થયા. પરંતુ ત્રિકૃચ્છે પિતાને જીવનર્વગ એવો વધારી મૂક્યો હતું કે, પંચે કિયેના વિષયમાંથી તે પોતાનું ચિત્ત છોડાવી શકો નહીં. પૂર્વજન્મનું સંકલ્પબળ તેને અતુલ સામર્થ્યને ઉપયોગ તેમજ ઉપભોગ કરવા જ પ્રેર્યા કરતું હતું. આજુબાજુની બધી રાજસત્તાઓ ઉપર પ્રચંડ પરાક્રમથી વિજય મેળવવા, ધરતીના છેડા સુધી પિતાની વરહાક વગડાવવી, અને આખા સામ્રાજ્યની અનુપમ લક્ષ્મીને પ્રબળપણે ભોગવવી-એ જ તેનું જીવનકાર્ય થઈ ગયું હતું. પાછલા કેટલાય જન્મના તાપસ-જીવનના સંસકાર મેજૂદ હતા; ઉપરાંત શ્રેયાંસનાથ જેવા પ્રભુને મુખે ધર્મતત્ત્વ સાંભળી તે કાંઈક અંશે જાગ્રત પણ થયા; પરંતુ ઉપરના પ્રબળ વેગને રોકી શકવાને તે સમર્થ થઈ શક્યા નહિ. બળદેવે પોતાના જીવનમાં કાંઈક સમતોલપણું સાધ્યું હતું. ૧. તેમને વિષે પ્રાચીન ગ્રંમાં માત્ર એટલી જ માહિતી સંધરાઈ છે કે તે સિંહપુર નગરના વિષJરાજ નામે રાજાના પુત્ર હતા; અને તેની રાણી વિષ્ણુદેવીને પેટે ઉત્પન્ન થયા હતા. તેમનો જન્મ ભાદરવા વદ બારશે થયો હતો. લગ્ન કર્યા બાદ તેમણે રાજગાદી ભેગવી હતી, અને પછી દીક્ષા લીધી હતી. માઘ માસની અમાવાસ્યાએ તેમને કેવળજ્ઞાન થયું હતું, અને શ્રાવણ માસની વદ ત્રીજે તેમણે નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy