SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંસા • ૩૩ પ્રથમ તો ધ્યાનમાં બેઠેલા તે મુનિએ રાજાને કાંઈ જવાબ ન આપે. તેથી વધુ ગભરાઈ, તે રાજા મુનિને પોતાની એળખાણ આપતા કહેવા લાગ્યો, “હે ભગવદ્ ! સંયત રાજા છું. આપ મને જવાબ આપ. ક્રોધ પામેલા મુનિઓ પિતાના તેજથી કરે માણસને પણ બાળી નાખે છે, એમ મેં સાંભળ્યું છે.' આ સાંભળી મુનિએ તે રાજાને જવાબ આપ્યો, “હે રાજા! તું નિર્ભય થા, તથા તે જ પ્રમાણે બીજા પ્રાણુઓને પણ અભય આપનારે બન. તું જે મૃત્યુના ભયથી ઉઠેગ પામી, આમ ક્ષમાપના કરે છે, તે જ મૃત્યુના મુખમાં તું બીજાં પ્રાણુંએને શા માટે ધકેલે છે? આ અનિત્ય જીવલોકમાં સુખની ઇચ્છાથી માણસે શા માટે બીજા પ્રાણોની હિંસા કરવી જોઈએ? દરેકને મરણ આવવાનું જ છે, તે પછી વીજળીના ઝબકારા જેવા જીવિતમાં કે તેનાં સુખમાં આસકિત શી? પોતે પ્રિય માનેલાં સુખે કે સ્ત્રો-પુત્ર-સંબંધીઓ વગેરે સુખનાં સાધને મર્યા બાદ સાથે આવતાં નથી. ઊલટું મરેલા પિતાને પુત્રો અને મરેલા પુત્રને પિતા ઘર બહાર કાઢે છે. પછી તે માણસે પેદા કરેલા દ્રવ્યથી અલંકૃત થઈ પરપુરુષે તેણે સાચવેલી સ્ત્રીઓ સાથે હષ્ટ અને તુષ્ટ થઈ ક્રીડા કરે છે. પરંતુ પેલો માણસ તે પિત કરેલાં શુભાશુભ કર્મો સાથે જ પરલોકમાં જાય છે.” ગભાલિ મુનિના આ ઉપદેશથી સંયત રાજાએ સંવેગ અને નિર્વેદ પામી, રાજપાટ વગેરે છોડી દીધું અને તેમની પાસે દીક્ષા લીધી. [ઉત્તરા. ૧૮]
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy