SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રહ્મચર્ય ૧. જેને સંયમ પ્રાપ્ત કરી, કર્મોના નિરધથી સમાધિ પ્રાપ્ત કરવી છે, તથા મન-વચન-કાયા તથા ઈદ્રો ઉપર જય મેળવી તેમનું દુષ્પવૃત્તિમાંથી રક્ષણ કરવું છે, અને એ રીતે અપ્રમત્તપણે મોક્ષધર્મ આચરવો છે, તેને વીર્યનિરોધરૂપી (ધૂળ) બ્રહ્મચર્ય સિદ્ધ કર્યા વિના ચાલે તેમ નથી. પરંતુ જનનેંદ્રિયનો નિરોધ પણ બીજી આનુષંગિક નાની મેટી સાવચેતીઓ વિના દુષ્કર છે. માટે મહતમાં પુરુષોએ તેની વાગરૂપે નીચેના દશ પ્રસંગેનો ત્યાગ કરવાનું ઉપદેર્યું છે. જેઓ (અભિમાનથી કે પ્રમાદથી) તે પ્રસંગોમાં બેદરકાર રહે છે. તેઓને ધીમે ધીમે પોતાના વ્રતમાં શંકા ઉત્પન્ન થાય છે, પછી વિષયભેગેની કાંક્ષા ઉત્પન્ન થાય છે, અને પછી બ્રહ્મચર્યની આવશ્યકતા જ છે કે નહિ એવી વિચિકિત્સા ઉત્પન્ન થાય છે. અંતે તેમના બ્રહ્મચર્યાનો ભેદ થઈ જાય છે, તેમને ઉન્માદ અને બીજા દીર્ઘકાલિક રોગ પ્રાપ્ત થાય છે; તથા તેઓ કેવળીએ કહેલા ધર્મમાંથી ભ્રષ્ટ થાય છે. તે દશ પ્રસંગો આ પ્રમાણે છે : ૧. ભિક્ષએ કોઈ પ્રકારના સંસર્ગ વિનાનાં શયન અને આસન વાપરવાં; તથા સ્ત્રી-પશુ અને નપુંસકના સંસર્ગવાળાં શયનસન ન વાપરવાં. ૨. બ્રહ્મચારીએ માત્ર સ્ત્રીઓને કથા ન કહેવી કે સ્ત્રી સંબંધી કથા ન કરવી. ૩. બ્રહ્મચારીએ સ્ત્રીઓની સાથે એકાસને ન બેસવું.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy