SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ પર શ્રી મહાવીર કથા સિદ્ધાંત પણ એ જ છે; તથા તેને જ શાંતિ કે નિર્વાણ પણ પરંતુ જ્યાં સુધી મનુષ્યમાંથી સર્વ પ્રકારના દેશે દૂર થયા નથી, ત્યાં સુધી તે મન-વાણુ-કાયાથી સંપૂર્ણ અહિંસા પાળી શકવાનો નથી. મહાપ્રજ્ઞાવાળા બુદ્ધિશાળી મનુષ્ય જિતેકિય થઈ, વિષયભોગમાંથી નિવૃત્ત થવું અને સંયમાદિમાં પરાક્રમી બની વિચરવું. તેણે અતિ માન-માયા-ક્રોધ-લોભથી દૂર રહેવું. ટૂંકમાં તેણે સર્વ સારાં કર્મ આચરવાં અને પાપકર્મો ત્યાગવાં. તેણે તપાચરણમાં પરાક્રમી બની, નિર્વાણને નક્ષત્રમાં ચંદ્રમાની પેઠે શ્રેષ્ઠ માની, તેને સાધવામાં પુરુષાથી થવું. જેમ આ જગત સર્વ ભૂતપ્રાણુઓનું આધારસ્થાન છે, તેમ જે બુદ્દો થઈ ગયા છે અને હજી થવાના છે, તેમનું પણ નિર્વાણ એ જ આધારસ્થાન છે. માટે તેણે ઇક્રિયાનું દમન કરી, તે નિર્વાણ જ પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ થવું. ( [ સૂત્રકૃતાંગ ૧-૧૧] ૫. કપિલ્યનગરમાં સંયત નામે રાજા રાજ્ય કરતો હતો. તે એક વખત ચતુરંગી સેના અને વાહને સાથે મૃગયા કરવા કાંપિલ્યપુરની પાસે આવેલા કેસર નામે ઉદ્યાનમાં ગયો. મૃગયાના રસે ચડી, તે રાજા ઘડા ઉપર બેસી મૃગો ઉપર બાણે ફેકતે તે ઉલ્લાનમાં ઘૂમવા લાગે. તે ઉદ્યાનમાં આવેલા એક લતામંડપ નીચે એક મુનિ ધ્યાન ધરતા હતા. રાજાએ મૃગયાની ધૂનમાં તે તરફ પણ બાણે છેડયાં હતાં અને કેટલાંય મૃગ તે મુનિની આજુબાજુ જ મરેલાં પડયાં હતાં. અચાનક તે મુનિ રાજાની નજરે પડ્યા તેમને જોઈ, ગભરાઈ જઈને તે રાજા તેમને પિતાનાં બાણેથી કંઈ ઈજા થઈ છે કે નહીં તે જેવા ઘડા ઉપરથી નીચે ઊતર્યો તથા વિનયપૂર્વક મુનિને નમસ્કાર કરી, પોતે અજાણમાં કરેલ અપરાધની ક્ષમા માગવા લાગ્યો
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy