SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ ८ અહિંસા . .. ૧. લેાકેા આ જીવનનાં સત્કાર, માન અને પૂજન માટે કે જન્મ-મરણમાંથી મુક્તિ મેળવવા માટે કે દુ:ખને પ્રતિકાર કરવા માટે વિવિધ પ્રવૃત્તિ કરે છે. પેાતાની તે પ્રવૃત્તિઓ દ્વારા તે આતુર લેાકેા સર્વાંત્ર ખીજા પ્રાણ્ણાની હિંસા કરતા હૈાય છે કે તેમને પરિતાપ આપતા હેાય છે. એ વસ્તુ તેમને માટે અહિતકર છે, અને સાચું જ્ઞાન પ્રાપ્ત થવામાં આડે આવનારી છે વિવિધ જીવે ને ઘાત કરવા એ ગ્રંથ ( બંધન ) છે, માર ( મૃત્યુ ) છે તથા નરક છે. [ આચા॰ ૧-૧] પ્રત્યેક પ્રાણીની શાંતિને વિચાર કરીને તથા તેને બરાબર સમજીને હું કહું છું કે, બધાં ભૂતપ્રાણીઓને પીડા, અશાંતિ । ભય એ દુઃખરૂપ છે. માટે મેધાવી પુરુષે તેમની હિંસા ન કરવી કે ન કરાવવી. [આચા૰૧-૧] જે માણસ વિવિધ પ્રાણેાની હિંસામાં પેાતાનું જ અનિષ્ટ અને અહિત જોઈ શકે છે, તે તેનેા ત્યાગ કરવા સમર્થ થઈ શકે છે. અને જે માણસ પેાતાનું દુઃખ જાણે છે, તે બહારનાનું દુઃખ જાણે છે. અને જે બહારનાનું દુઃખ પણ જાણે છે, તે પેાતાનું દુઃખ પણ જાણે છે. [આચા૰૧-૧] મનુષ્ય અન્ય જીવાની બાબતમાં એટ્ટરકાર ન રહેવું. જે અન્ય જીવેાની બાબતમાં મેદરકાર રહે છે, તે આત્માની આમતમાં પણ બેદરકાર કહે છે; તથા જે આત્માની બાબતમાં મેદરકાર રહે છે, તે અન્ય જીવની બાબતમાં પશુ બેદરકાર રહે છે. [આચા॰ ૧-૧ ]
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy