SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ પર શ્રી મહાવીર કથા ૭૧મો ગુણ તે પ્રેયબ્રેષ-મિથ્યાદર્શનવિજય અર્થાત રાગ-દ્વેષ-અને મિથ્યાદર્શનને વિજય છે. તેનાથી જીવ જ્ઞાનદર્શન-ચારિત્રની આરાધના કરવા પ્રયત્નશીલ થઈ, આઠ પ્રકારના કર્મની ગાંઠ તેડવા તત્પર થાય છે. પ્રથમ તો મેહનીય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એમ ચાર કર્મોને ક્ષય થાય છે. તેમાં પણ મેહનીય કર્મ પ્રથમ ક્ષીણું થતાં, અંતમુહૂર્ત બાદ બાકીનાં ત્રણ સાથે ક્ષય પામે છે. ત્યાર બાદ તેને અનંત, શ્રેષ્ઠ, સંપૂર્ણ, નિરાવરણ, સ્પષ્ટ, વિશુદ્ધ, અને લક તથા અલકનું પ્રકાશક એવું ઉત્તમ કેવલ જ્ઞાન દર્શન પ્રાપ્ત થાય છે. પછી જ્યાં સુધી તે સંયોગ દશામાં એટલે કે મન-વાણુંકાયાને વ્યાપાર યુક્ત હોય છે, ત્યાં સુધી તેને નિર્દોષ છતાં પાંપણના હાલવા ચાલવા જેવી સ્વાભાવિક ક્રિયાઓને કારણે) જે કર્મબંધન થાય છે, તે સુખકારી સ્પર્શ વાળું હોય છે, માત્ર બે ક્ષણ ટકે છે; (પહેલી ક્ષણે બધાય છે, બીજી ક્ષણે તેનો અનુભવ થઈ જાય છે, અને ત્રીજી ક્ષણે તે નાશ પામી જાય છે. ૭ર ગુણ તે “શેલેશીપણું; અર્થાત (ઉપર જણાવ્યા પ્રમાણે) કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી મુહૂર્ત કરતાં પણ ઓછું આયુષ્ય બાકી રહે ત્યારે તે ભિક્ષુ મન-વાણું-કાયાના વ્યાપારને નિરોધ કરી, જેમાં માત્ર શ્વાસોચ્છવાસ જેવી સૂક્ષ્મ શરીરક્રિયાઓ બાકી રહેલી હોય છે, અને જેમાંથી પતન થવાને પણ સંભવ નથી એવી શુક્લ ધ્યાનની ત્રીજી પાયરીએ સ્થિતિ થાય છે. પ્રથમ તે મને વ્યાપારને રોકે છે, પછી વાણુવ્યાપારને રોકે છે, પછી કાયવ્યાપારને રોકે છે, પછી શ્વાસ,શ્વાસને રોકે છે. પછી સ૩-ત્ર સ્ એ પાંચ હસ્વ અક્ષરે બાલતાં એટલે વખત લાગે તેટલા વખતમાં તે ભૂલ કે સૂમ એવી મનવાણી-કાયા કોઈ પણ ક્રિયા વિનાની, તથા જે સ્થિતિમાંથી પછી પાછા ફરવાપણું નથી એવી શુકલધ્યાનની ચેથી પાયરી
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy