SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ પરમ મેક્ષમાગ ૪૭મો ગુણ તે “મુક્તિ” અથવા નિર્લોભતા. ૪૮ ગુણ તે “આર્જવ અર્થાત સરળતા. તેનાથી જીવ મન-વાણુ-કાયાની એકરૂપતા અને વિશુદ્ધિ પ્રાપ્ત કરી ૪હ્મ ગુણ તે “મૃદુતા' અર્થાત અમાનીપણું. ૫૦ ગુણ “ભાવસત્ય” અર્થાત અંતરની સચ્ચાઈ તેનાથી જીવ અંતઃકરણશુદ્ધિ પ્રાપ્ત કરે છે. ૫૧ ગુણ તે “કરણસત્ય' અર્થાત આચારની સચ્ચાઈ તેનાથી છવ ક્રિયા સામર્થ્ય પ્રાપ્ત કરી શકે છે. પરમો ગુણ તે “સત્ય” અર્થાત મન-વાણી-કાયાની સચ્ચાઈ. તેનાથી જીવની પ્રવૃત્તિઓ નિર્દોષ બને છે. ૫૩થી ૫૫ સુધીના ગુણ તે મન, વાણું અને કાયાની ગુપ્તતા અર્થાત અશુભ વ્યાપારમાંથી રક્ષણ છે. તેમજ ૫૬ થી ૫૮ સુધીના ગુણ તે મન-વાણ-કાયાની “સમાધારણ અર્થાત તેમને શુભ માર્ગમાં સ્થાપન કરવાં તે છે. પલ્મો ગુણ તે “જ્ઞાનસંપન્નતા' અર્થાત શાસ્ત્રજ્ઞાનમાં વિશારદતા છે. તેનાથી જીવ દેરાવાળી સાયની પેઠે સંસારરૂપી અરણ્યમાં ખવાઈ જતું નથી. પરંતુ જ્ઞાન, વિનય, તપ અને ચારિત્ર ભલે પ્રકારે પ્રાપ્ત કરી, સ્વસિદ્ધાંત અને પરસિદ્ધાંતમાં કુશળ બની, અજેય બને છે. ૬૦ ગુણ તે “દર્શનસંપન્નતાઅર્થાત તત્ત્વાર્થમાં સમ્યફ શ્રદ્ધાં. ૬૧મો ગુણ તે ચારિત્રસંપન્નતા. ૬૨ થી ૬૬ સુધીના ગુણ તે શ્રોત્રચક્ષુ-ધ્રાણ-જિ-અને સ્પર્શ ઈદ્રિના નિગ્રહ' અને ૬૭ થી ૭૦ સુધીના ગુણ તે ક્રોધ-માન-માયા-અને લભના “વિજય સમજવા. ૧. પ્રતિલેખન વગેરે સાધુના આચારે.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy