SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ શ્રી મહાવીર કથા કરે છે. કારણ, પિતાના કલ્યાણને જે કંઈ ઉપાય જાણવામાં આવે, તે બુદ્ધિશાળી મનુષ્ય જીવન દરમ્યાન તરત જ શીખી લે છે. તેવો બુદ્ધિશાળી મનુષ્ય સ્વબુદ્ધિથી કે બીજા પાસેથી ધર્મનું રહસ્ય સમજી લઈ, તેમાં પૂર્ણભાવે પ્રયત્નશીલ થવા ઘરબારનો ત્યાગ કરી ચાલી નીકળે છે. કાચબો જેમ પિતાનાં અંગો પોતાના શરીરમાં સમેટી લે છે, તેમ તે સર્વ પાપવૃત્તિઓને તથા હાથ પગ વગેરે કમેન્દ્રિો અને પાંચે જ્ઞાનેન્દ્રિ સહિત મનને અને તેમના દોષને સમેટી લે છે; સર્વ પ્રકારની સુખશીલતાને ત્યાગ કરે છે; અને કામનાઓમાંથી ઉપશાંત થઈ, આસકિત વિનાનો બની, મેક્ષમાર્ગમાં જ પ્રબળ પુરુષાર્થ આદરે છે. આ વીરત્વ ધર્મવીરનું છે. તે પ્રાણેની હિંસા નથી કરતો, વિશ્વાસઘાત નથી કરતે; જૂઠ નથી બોલતે; ધર્મનું ઉલ્લંઘન મન-વાણીથી નથી ઈચ્છત; તથા જિતેંદ્રિય થઈ, આત્માનું સર્વ પ્રકારે રક્ષણ કરતા વિચરે છે. તે ડું ખાય છે, થોડું પીએ છે, અને થોડું બેલે છે. ક્ષમાયુક્ત અને નિરાતુર બની, તે સદા પ્રયત્નશીલ રહે છે, તથા સર્વ પ્રકારની પાપપ્રવૃત્તિઓને ત્યાગ કરી, તિતિક્ષાને પરમધર્મ સમજી, ધ્યાનયોગ આચરતે મેક્ષ પર્યત વિચરે છે આમ, જ્ઞાની તેમજ અજ્ઞાની બંને સમાન વીરત્વ દાખવતા હોવા છતાં, અધૂરા જ્ઞાનવાળાનું કે છેક જ અબેધનું ગમે તેટલું પરાક્રમ હોય તો પણ તે અશુદ્ધ છે તથા કર્મબંધનનું કારણ છે; પરંતુ જ્ઞાન અને બધયુક્ત પુરુષનું પરાક્રમ શુદ્ધ છે, અને તેનું કાંઈ ફળ તેને ભેગવવું પડતું નથી. યોગ્ય માર્ગે કરેલું તપ પણ જે કીર્તિની ઇચ્છાથી કરાયું હોય, તો તે પણ શુદ્ધ નથી; પરંતુ જે તપ બીજા જાણતા નથી, તે જ ખરું તપ છે. [સૂત્રકૃતાંગ ૧-૮]
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy