SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ સાચું વીરત્વ ૧. વીરતા બે પ્રકારની કહેવાય છે. કેટલાક કર્મને વીર્ય કહે છે; જ્યારે કેટલાક અકર્મને વીર્ય કહે છે. પ્રમાદ એ કર્મ છે, અને અપ્રમાદ એ અકર્મ છે. જે જે પ્રવૃત્તિઓ પ્રમાદ, યુક્ત છે, અર્થાત્ સયધર્મથી વિમુખ છે, તે બધી કર્મરૂપ છે, તેથી ત્યાજ્ય છે. જે જે પ્રવૃત્તિઓ પ્રમાદરહિત અર્થાત્ સહર્મ અનુસાર છે, તે અકર્મ છે અને કરવા યોગ્ય છે. * જેમકે, પ્રાણીઓના નાશ માટે શસ્ત્રવિદ્યા શીખવામાં કે કામગ મેળવવા માયાદિ આચરવામાં, કે અસંયમી બની વેરયુક્ત થઈ મન-વચન-કાયાથી આ લોક કે પરલેકને લગતાં કર્મો કરવામાં – ટૂંકમાં જેથી આત્માનું અહિત થાય તેવી રાગદ્વેષયુક્ત પ્રવૃત્તિઓમાં – દાખવેલું વીર્ય અથવા પરાક્રમ સંસાર પ્રાપ્ત કરાવનાર કર્મ (બંધન)નું કારણ હોઈ હેય છે. હવે શાણું લોકોનું અકર્મવીર્ય સાંભળો. બુદ્ધિમાન પુરુષ સમજે છે કે, જેમ જેમ માણસ વધારે ને વધારે પાપકર્મ કર્યો જાય છે, તેમ તેમ ચિત્તની અશુભતા વધતી જાય છે, અને મનુષ્ય વધારે ને વધારે વેરેમાં બંધાતે જઈ, અંતે દુઃખને જ ભાગી થાય છે. ઉપરાંત સ્વર્ગાદિમાં વાસ પણ નિત્ય નથી, તથા સગાંસંબંધી અને મિત્રો સાથેનો સહવાસ પણ અનિત્ય છે. તેથી સમજુ લેક બધી મમતાનો ત્યાગ કરી, સર્વ શુભ ધર્મયુક્ત અને શ્રેષ્ઠ પુરુષોએ કહેલા તથા મુક્તિમાર્ગે લઈ જનારા આર્યધર્મનું શરણ લઈ, પાપકર્મરૂપી કાંટાને મૂળમાંથી ખેંચી કાઢવા ધર્મ અનુસાર પ્રબળ પુરુષાર્થ
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy