SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ સુમુક્ષુની તેયારી સામે જ ન ઊભા રહેવું. પરંતુ એક તરફ એકલા ઊભા રહેવું તથા પિતાના જેવા બીજા ભિક્ષુઓને ઓળંગી, આગળ જવાની પડાપડી ન કરવી. ભિક્ષા ગ્રહણ કરતી વખતે પણ તેણે અતિ અકડ ઊભા ન રહેવું કે અતિ નીચા નમી ન જવું. ભિક્ષામાં પણ તેણે શુદ્ધ જીવજંતુ વિનાનો, નિર્દોષ અને બીજાને માટે બનેલો આહાર દે, વગેરે તપાસીને, સ્વીકારવો. ત્યાર બાદ જ્યાં ઘણા પ્રાણે કે બીજે ન હોય, તથા જે ઉપરથી તેમ જ આજુબાજુથી ઢંકાયેલી હોય, તેવી જગાએ, બીજા સંયત પુરુષોની સાથે બેસીને, એક પણ દાણે પડી મૂક્યા વિના, યોગ્ય સમયે ભોજન લેવું. ખાતાં ખાતાં તેણે આ સારું રંધાયું છે,' “આ ઠીક સ્વાદવાળું છે, કે “આ ઠીક રસવાળું છે,' એવું ન બોલ્યા કરવું, પરંતુ સંયમપૂર્વક ખાઈ લેવું. [ ઉત્તરા. ૧] ૬. નીચેનાં છમાંથી કેઈ કારણસર આહારપાણીની શોધમાં નીકળવું: (૧) સુધાદિ વેદનાની નિવૃત્તિને અર્થે (૨) ગુરુ વગેરેની સેવાને અર્થે; (૩) ભૂખે અંધારાં આવ્યા વિનાકાળજીથી ચાલી શકાય તે માટે; (૪) સંયમના નિર્વાહને અર્થે; (૫) જીવન ટકાવવાને અર્થે; (૬) ધર્મધ્યાન થઈ શકે તે માટે. [ઉત્તરા. ૨૬] ૭. નીચેનાં છ કારણે એ સાધુ કે સાધ્વી ભિક્ષા માગવા ન જાય તે તેથી આજ્ઞાનું ઉલ્લંઘન થયું કહેવાય નહીંઃ (૧) બીમારીને કારણે (૨) કોઈ વિઘને કારણે (૩) બ્રહ્મચર્ય કે મનવાણું-કાયાના નિયમનને અર્થે (૪) પ્રાણુદયાને અર્થે ૧. માર્ગમાં કે હવામાં અચાનક ઘણું જ હોય તે કારણે. આવી ગયા
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy