SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ શ્રી મહાવીર કથા ખાલો તૈયાર કરે છે કે સંઘરે છે. તેમની પાસેથી પિતાને જોઈત આહાર તે ભિક્ષુ વિધિપૂર્વક માગી લે છે. તે ભિક્ષુ મહા આરંભથી બનેલે આહાર લેતું નથી, લેવરાવતું નથી કે બીજાને તેની સંમતિ પણ આપતો નથી. સત્યદશી વીર પુરુષે જાડું-પાતળું અને લૂખું-સૂકું ભિક્ષાન જ લે છે. સર્વ પ્રકારના ભિક્ષાના દોષ સમજીને, તે દેષમાંથી મુકત બની તે મુનિ પોતાની ચયમાં વિચારે છે. તે જાતે કશું ખરીદત નથી, ખરીદાવત નથી, કે તેમ કરવાની બીજાને સંમતિ આપતા નથી. મને કઈ આપતું નથી એમ કહી, તે ક્રોધ કરતો નથી; ડું આપે તેની નિંદા કરતો નથી; કોઈ આપવાની ના પાડે તે પાછો ચાલ્યો જાય છે; આપે તો લઈને પાછો ઉતારે આવે છે; આહાર મળે તો ખુશ થતો નથી; ન મળે તે શોક કરતો નથી; મળેલા આહારનું પરિમાણ જાળવે છે; વધારે મળે તે સંધરે કરતે નથી; તથા પોતાની જાતને સર્વ પ્રકારે પરિગ્રહથી દૂર રાખે છે. આર્ય પુરુષોએ એ માર્ગ જણાવેલ છે; તેથી કુશળ પુરુષ ત્યાં લેપાત નથી એમ હું કહું છું. [આચા) ૧-૨] ૫. સમજુ શિષ્ય આહારવિહારની બાબતમાં નિયમિત બનવું. ઉચિત સમયે બહાર નીકળવું, અને ઊંચત સમયે પાછા ફરવું. ટૂંકમાં, અગ્ય સમય છેડીને, જે સમયે જે કરવાનું હોય, તે સમયે તે કરવું. ભિક્ષાની બાબતમાં સંયમધર્મને આવશ્યક એવા કેટલાક વિધિનિષેધ જ્ઞાનીઓએ ઉપદેશ્યા છે, તે તેણે બરાબર પાળવા. જેમકે, ભિક્ષા માગવા જતી વખતે લોકોની પંગત જમતી હોય ત્યાં ભિક્ષા માટે ઊભા ન રહેવું ભિક્ષા આપનારથી અતિ દૂર કે અતિ નજીક કે તેની નજર ૧. હિંસા તેમજ પ્રવૃત્તિ -એમ બે અર્થમાં એ શબ્દ વપરાય છે.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy