SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ મુમુક્ષુની તૈયારી ૫૧૧ સંભવ વિનાનું, ભિક્ષા માગીને આણેલું, સાધુ જાણીને આપેલું, તથા માધુકરીની રીતે થોડું થોડું ઘણું જગાએથી પ્રાપ્ત થયેલું ભોજન જ તેને માટે ગ્રાહ્ય છે. તેવું ભોજન પણ તે ભૂખના ખાસ પ્રજનથી, પ્રમાણસર, ધરીને ઊંજવા તેલ જોઈએ કે ગૂમડા ઉપર લેપ કરવો જોઈએ એવી ભાવનાથી, સંયમનો નિર્વાહ થાય તેટલા પુરતું, તથા સાપ જેમ દરમાં પેસે છે તેમાં (મમાં સ્વાદ માટે ફેરવ્યા વિના) ખાય છે. ખાવાને સમયે ખાય છે, પીવાને સમયે પીએ છે, તથા બીજી પહેરવાસૂવાની તમામ ક્રિયાઓ તે ભિક્ષુ યોગ્ય સમયે જ કરે છે. [સૂત્રકૃતાંગ ૨-૧] ૨. આહારની બાબતમાં ભિક્ષુએ પૂર્ણ સંયમ સ્વીકાર. પિતાને ઉદ્દેશીને ગૃહસ્થ તૈયાર કરેલું, ખરીદેલું, ઊછીનું આણેલું, કે પોતે જ્યાં રહેતા હોય ત્યાં ગૃહસ્થ લઈ આવ્યો હોય તેવું, કે તે બધાના અંશેવાળું ભિક્ષાત્ર તેણે ન સ્વીકારવું. તેણે માદક આહારનો સર્વથા ત્યાગ કરવો, તથા જેનાથી માત્ર જીવિત ટકી રહે, તેટલું જ અન્નપાન માગી લાવવું. વધારે માગી લાવી બીજાને આપી દેવું પડે તેમ ન કરવું. સૂિત્રકૃતાંગ ૧-૯] ૩. ભિક્ષુએ નિષિદ્ધ અન્નની કદી ઇચ્છા ન કરવી તથા તેમ કરનારની સેાબત પણ ન કરવી. પોતાના અંતરનો વિકાસ ઇચ્છનાર તે ભિક્ષુએ કશાની અપેક્ષા રાખ્યા વિના, તથા જરા પણ ખિન્ન થયા વિના, બાહ્ય શરીરને ઘસાઈ જવા દેવું, પણ જીવિતની કામના કરી પાપકર્મ ન કરવું. તેણે પોતાની એકલી અસહાય દશાને વિચાર વારંવાર કર્યા કરે. એ ભાવનામાં જ મુક્તિ રહેલી છે. [સૂત્રકૃતાંગ ૧-૧૦] ૪. ગૃહસ્થ પિતાને કે પોતાના માટે વિવિધ કર્મ સમારોથી ભોજન, વાળુ, શિરામણ, કે ઉત્સવાદિ માટે
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy