SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીરકથા ભલેને મન-વાણ-કાયાનું બરાબર રક્ષણ કરતા હોય, તથા સ્વરૂપવાન અને અલંકૃત દેવીઓ પણ જેમને ક્ષેભ પમાડવાને શક્તિમાન ન હોય, પરંતુ તેવા મુનિઓએ પણ, અત્યંત હિતકર જાણી. સ્ત્રી વગેરેથી રહિત એવો એકાંતવાસ જ સ્વીકારવો. સંસારથી ડરી, ધર્મમાર્ગમાં સ્થિત થયેલા અને મેક્ષની જ ઈચ્છા રાખનાર સાધુને યુવાન અને મને હર સ્ત્રી જેવી દુસ્તર વસ્તુ બીજી કોઈ નથી. જેઓ સ્ત્રીની કામના છેડી શક્યા છે, તેઓને બધી કામનાઓ છોડવી સહેલી છે. મહાસાગર તરી જનારાને ગંગા, જેવી મોટી નદીનો પણ શે હિસાબી દેવો સહિત સમગ્ર લોકોના દુઃખનું મૂળ કામોની કામના છે. [ઉતરા૩૨ ! છે. આહારશુદ્ધિ ૧. ભિક્ષુજીવનમાં આહારશુદ્ધિ જ મુખ્ય વસ્તુ હોવાથી તે બાબતમાં મુમુક્ષુ ઘણો કાળજીપૂર્વક વર્તે. ગૃહસ્થાએ કુટુંબ માટે તૈયાર કરેલા આહારમાંથી વધ્યું ઘટયું માગી લાવીને જ તે પિતાને નિર્વાહ કરે. તે જાણે કે, ગૃહસ્થોને ત્યાં પિતાને માટે કે પોતાનાં માટે અન્ન તૈયાર કરવાની કે સંઘરી રાખવાની પ્રવૃત્તિ હોય છે. એવું, બીજાએ સ્વ-અર્થે તૈયાર કરેલું અને તેમાંથી વધેલું, તેમજ આપનારના, લેનારના, અને લેવાના એ ત્રણ પ્રકારના દેશોથી રહિત, પવિત્ર, નિજીવ, હિંસાના ૧. આ૫નારને લગતા દેછે જેવા કે સાધુને ઉદ્દેશીને તેણે અહાર તૈયાર કરેલ હોય, ખરીદી આર્યો હોય, ઊછીને આ હોય, કે સુરક્ષિત સ્થળે મૂકેલે ઉતારીને કે ઢાંકણ ઉખાડીને આપે હોય, કે સહિયારી માલકીને બીજા ભાગીદારને પૂછળ્યા વિના આપે હોય છે. લેનારને લગતા દેશો જેવા કે, આહાર મેળવવા ગૃહસ્થનાં છોકરાં રમાડ્યાં હય, ભવિષ્ય ભાખ્યું હોય, દૂતકર્મ કર્યું હોય, ક્રોધ-માન-માયા-લોભ કર્યા હોય, વૈદું કર્યું હોય છે. લેવાના દે જેવા કે, આહાર અયોગ્ય હોય, તેને દતા અયોગ્ય હાય, આપતાં આપતાં ઢળાતે હોય છે,
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy