SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ શ્રી મહાવીર કથા (૫) તપને કારણે કે (૬) શરીરને નાશ કરવા માટે.૧ [ઉત્ત. ર૬} ૮. ઉપસંહાર થયાખ્યાઓ ૧. જે ઈદ્રિયનિગ્રહી હોય, મુમુક્ષુ હોય, તથા શરીર ઉપર મમતા વિનાનો હોય, તે જ બ્રાહ્મણ કહેવાય, શ્રમણ કહેવાય, ભિક્ષુ કહેવાય કે નિગ્રંથ કહેવાય. તે બ્રાહ્મણ એટલા માટે કહેવાય કે તે રાગ, દ્વેષ, કલહ, બેટી નિંદા, ચુગલી, કૂથલી, (સંયમમાં) અરતિ, (વિષયમાં) રતિ, કૂડકપટ અને જૂઠ વગેરે પાપકર્મોમાંથી વિરત થ ય છે; મિયા માન્યતાઓ રૂપી કાંટા વિનાના હોય છે; સમ્યફ પ્રવૃત્તિવાળો હોય છે; હંમેશ યત્નવાન હોય છે; પોતાના કલ્યાણમાં તત્પર હોય છે; કદી ગુસ્સે થતો નથી; તથા અભિમાન કરતા નથી. તે શ્રમણું એટલા માટે કહેવાય છે કે, તે વિધ્રોથી હારી જ નથી, તથા સર્વ પ્રકારની આકાંક્ષાઓ વિનાને હોય છે. વળી તે પરિગ્રહહિસાજા-મૈથુન-ક્રોધ-માન-માયા-લોભ-રાગ- તથા ઠેષરૂપી પાપનાં મૂળ કારણ કે જેમના વડે પાપકર્મ બંધાય છે તથા જે આત્માને દોષિત કરે છે, તે સર્વમાંથી પહેલેથી જ વિરત થયો હોય છે. તે ભિક્ષુ એટલા માટે કહેવાય છે કે તે અભિમાન વિનાને હેય છે, નમ્ર હોય છે, તથા ગુરુની આજ્ઞાનું પાલન કરનારો હોય છે. તે વિવિધ પ્રકારનાં કષ્ટ અને વિધાથી દબાઈ જતો નથી. અધ્યાત્મયોગથી તેણે પોતાનું અંતઃકરણ શુદ્ધ કરેલું હોય છે, તે પ્રયત્નશીલ હોય છે; સ્થિર ચિત્તવાળો હોય છે અને પારકાએ આપેલા ભોજનથી મર્યાદામાં રહીને જીવનનિર્વાહ કરતો હોય છે. ૧. મારણતિક સુલેખન સ્વીકારી હોય તે વખતે.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy