SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર કથા પછી તો હાથપગ કાપે, ચામડી અને માંસ ઉતરડી નાખે, જીવતા અગ્નિમાં શેકે, શરીર છેદી છેદીને ઉપર તેજાબ છાંટે, કાન અને નાક કાપી નાખો, કે ડોકું ઉડાવી દે, પણ તેઓ તેમનો સંગ છોડી શક્તા નથી. તેઓ પરસ્ત્રીસંગ કરનારને થતી બધી સજાઓ સાંભળવા છતાં, તથા કામશાસ્ત્રોમાં વર્ણવેલા કુટિલ સ્ત્રીઓના હાવભાવ, તથા તેમનું માયા વીપણું જાણવા છતાં, અને હવેથી નહીં કરીએ એવા સંકલ્પ કરવા છતાં એ અપકર્મ કર્યા જ કરે છે. તેવા ભિક્ષુ બહારથી તે સદાચરણની અને મેક્ષમાર્ગની વાત બમણા જોરથી કર્યા કરે છે. કારણ, દુરાચરણનું જે જીભમાં હોય છે! છતાં, તેમનું સાચું સ્વરૂપ અંતે પ્રગટ થયા વિના રહેતું નથી. તે વખતે સાચી વાત કબૂલ કરવાને બદલે તેઓ ઊલટા પિતાની નિર્દોષતાનાં બણગાં ફૂંકે છે, અને “એવું હીન કર્મ તે હું કરું?' એમ કહી, ઉપર-ઉપરથી ગ્લાનિ બતાવે છે. કોઈ વાર ઉઘાડેછોક પકડાઈ જાય, તો તે કહે છે, હું કાંઈ કરતે રહેતે, તે તો માત્ર મારા ખોળામાં સૂઈ ગઈ હતી!” આમ એ મૂર્ખ માણસ આબરૂ સાચવવા જૂઠ બોલી, એવડું પાપ કરે છે. માટે પ્રથમથી જ સ્ત્રીઓના નિકટ પ્રસંગમાં આવવું નહીં, એ પ્રથમ બુદ્ધિલક્ષણ છે. ડાહ્યા પુરુષ સ્ત્રીઓની શરૂઆતની ભાવનારી વિનંતીઓ તરફ લક્ષ આપી, તેમને પરિચય કે સહવાસ વધવા ન દેવો.. સ્ત્રી સાથેના કામભાગે એ હિંસા-પરિગ્રહદિ સર્વ મહાપાપોનાં કારણ છે, એમ જ્ઞાની પુરુષોએ કહેલું છે. એ ભોગે મહા ભયરૂપ છે અને કલ્યાણથી વિમુખ કરનારા છે. માટે બુદ્ધિમાન ભિક્ષુએ તો આત્મા સિવાય સર્વ પર પદાર્થોની કામનાને ત્યાગ ( [ સૂત્રકૃતાંગ ૧-૪ ૨. જુઓ તો ખરા! સ્ત્રીઓમાં આસકત થયેલા જુદા જુદા પ્રાણે અને સો દુઃખથી પીડિત થઈ કેટલે પરિતાપ કરવો.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy