SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ અઢામે ભવ: રિપૂર્ણ વાસુદેવની કથા ૨૯ તે સિંહ સાથે મલ્લયુદ્ધ કરીને તેને જીર્ણ વસ્ત્રની પેઠે બે હેઠ પકડીને ચીરી નાખ્યો.૧ પછી એ ભયંકર યુદ્ધ જઈને સ્તબ્ધ થઈ ગયેલા ખેડૂતોને એ સિંહનું ચામડું આપીને ત્રિપૃષ્ઠ કહ્યું કે, આ ચામડું તમારા રાજા અશ્વગ્રીવને આપજે અને તેને કહેજો કે, “હવે નિરાંતે સૂજે, તથા ધાન ખાઈને પડી રહેજે.” અશ્વગ્રીવને આ બધા સમાચાર મળતાં ખાતરી થઈ કે, હવે પિતાનું મૃત્યુ નક્કી છે. તેમ છતાં પુરુષપ્રયત્ન તે કર્યા જ કરવો જોઈએ એમ ધારી, અશ્વગ્રીવે પ્રજાપતિ રાજાને કહેવરાવ્યું કે, તમે હવે વૃદ્ધ થયા છે, તથા મારી ખિદમત બરાબર ઉઠાવી શકે તેમ નથી; માટે તમારા કુમારને મારી પાસે મોકલે. હું તેમને જુદાં જુદાં કામ સોંપવા ઈચ્છું છું. પ્રજાપતિ રાજાને અશ્વગ્રીવની આ વાત ઉપર વિશ્વાસ આવ્યો નહીં. તેણે દૂતને કહ્યું કે, આ નાના કુમાર અશ્વગ્રાવ મહારાજની શી સેવા કરી શકે? માટે હું પોતે જ ત્યાં આવું છું. ત્યારે તે સાચી વાત પ્રગટ કરીને કહ્યું કે, જે કુમારે ન મેકલવા હોય, તે યુદ્ધ માટે તૈયાર થાઓ, એવું પણ રાજાએ કહાવ્યું છે. ૨ ૧. કથાકારે ત્યાં એવી કલ્પના કરી છે કે, મોટામોટા રાજાઓ જેની સરસા નહોતા જઈ શક્તા તેને એક બાળકે શસ્ત્ર વિના જ મારી નાખે, એ જોઈ સિંહ જમીન ઉપર પડ્યો પડ્યો તરફડતે તરફડતો ખેદ કરતે હતો. ત્યારે ત્રિપુણના સારથિએ તેને આશ્વાસન આપ્યું કે, તું જેમ જાનવરોમાં સિંહ છે, તેમ આ ત્રિપૃષ્ઠ મનુષ્યમાં સિંહરૂપ છે. માટે સરખાના હાથે પરાભવ પામવાથી તારે ખેદ કરવો જોઈએ નહીં. એ સારથિ પછી વિપૃષ્ઠના મહાવીરસ્વામી તરીકેના જન્મમાં તેમને ગૌતમ નામે પ્રથમ ગણધર થયો. ૨. ત્રિષષ્ટિશલાકાપુરુષ૦ના દશમા પર્વમાં યુદ્ધનું આ કારણે જ જણાવ્યું છે, પરંતુ ચોથા પર્વમાં (સર્ગ ૧) જુદું જ કારણ
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy