SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ 34 શ્રી મહાવીરકથા પતિ રાજાને કહેવરાવ્યું કે, આ વખતે પેલા સિંહની ચેકી કરવાના તમારા વારા નથી, પરંતુ અશ્વગ્રીવ રાજાની એવી મરજી છે કે, આ વખતે તમારે જ ચેકી કરવા જવું. પ્રજાપતિ રાજા એ સાંભળી ખેદ કરતા પેાતાના કુમારને મેલાવીને કહેવા લાગ્યા કે, તમે કરેલા અવિનયનું જે તાત્કાલિક કુળ મળ્યું તે જુએ. અશ્વત્રીવ રાજાએ ગુરસે થઈ, મારે વારે ન હેાવા છતાં, મને મેક્તના મુખમાં ધકેલવા જ સિંહની ચેષ્ઠી કરવા જવાને હુકમ કર્યો છે. ત્રિપૃષ્ઠે તે સાંભળી કહ્યું, * પિતાજી, અમે છીએ છતાં આપ તે શું કરવા કૂતરા જેવા એકાદ જાનવરને સાચવવા જાએ? અમે જ ત્યાં જઈશું અને ઘટતું કરીશું.' તે સાંભળી રાજાએ ખિન્ન થઈને કુમારને કહ્યું કે, “તમને લેાકાને દુનિયાનું ભાન નથી, અને ફાવે તેમ ખેલે છે તથા વર્તી છે. તમારા એક અવિચારનું ફળ તા પ્રત્યક્ષ ભેાગવવાનું આવ્યું જ છે, અને હવે પાછા તમે મૃત્યુના મુખમાં જ અવિચારીપણે જવા ઇચ્છે છે. અશ્વીવ રાજા એ જેમ જેવા તેવા રાજા નથી, તેમ આ સિંહ પણ જેવા તેવા સિદ્ધ નથી. તેણે અત્યાર સુધી કેટલાંય રાજકુલેને નિવશ કરી દીધાં છે. આમ છતાં ત્રિપૃષ્ઠ કુમારે માન્યું જ નહીં. પછી મહાપ્રયાસે રાજાને સમજાવીને ભતે કુમારે। જે પ્રદેશમાં સિંહ હતા તે તરફ્ થાડાં ઘણાં માણસા સાથે ચાલી નીકળ્યા. ત્યાં પહેોંચ્યા પછી, બીજા રાજાઓની પેઠે લશ્કરને સિંહ તરફ આગળ કરી, પેાતે પાછળ કાંપતા કંપતા સંતાઈ રહી, ગમે તેમ પેાતાના વારાનેા સમય પૂરા કરવાને બદલે, ત્રિપૃષ્ઠ કુમાર તા સિંહના સ્થાનની ભાળ મેળવી, બધા વારતા રહ્યા તે સિ'હની ગુફાના દ્વારા પાસે જઈ પડેાંચ્યા. ત્યાં જઈ ક્ષત્રિયધર્મ અનુસાર પગપાળા જ, કાંઈ પણ થિયાર વિના ત્રિપૃષ્ઠે
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy