SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ અહમ ભવઃ ત્રિપૃષ્ઠ વાસુદેવની કથા છે પ્રજાપતિ રાજાને કાને આ બધો વૃત્તાંત જતાં જ, તે તે ગાભર બની ગયું. તેણે પિતાના પ્રધાનને ચંડવેગ પાસે મેકલી તેને સભામાં પાછો તેડાવ્યો, અને ઘણે ઘણો વિનયસત્કાર કરી, તેની ક્ષમા માગી, તથા કેટલુંય નજરાણું આપીને તેને જણાવ્યું કે, મારા દુવિનીત મૂઢ છોકરાઓએ તમારો પ્રતાપ જાણ્યા વિના જે દુષ્ટા કરી છે, તે વડીલની પેઠે તમારે ભૂલી જવી ઘટે છે. અશ્વગ્રીવ રાજાને કાને આ વાત જાય, તે મારું શું થાય, એ તમે જાણે છે. માટે મારા ઉપર તમારે લાંબા સમયનો અભાવ ખ્યાલમાં રાખી, તમારે મને એ આફતમાંથી બચાવી લે ઘટે છે.” ચંડવેગે પણ પ્રજાપતિ રાજાની લાચારી તથા દીનતા જોઈને તેને આશ્વાસન આપતાં કહ્યું કે, એ કુમારે તે જેવા તમારા કુમાર છે, તેવા જ મારા પણ છે. છોકરા કેઈ બાળચેષ્ટા કરે, તે કઈ વાર અણઘટતી હોય; તોપણ વડીલજને તેનું કાંઈ દુખ મનમાં લાવવું જોઈએ નહીં. માટે તમે બેફિકર રહેજે. મને તમારા સદભાવ અને મિત્રતા ઉપર પૂરો વિશ્વાસ છે. પરંતુ ચંડવેગ અશ્વગ્રીવ પાસે જઈ પહોંચે ત્યાર પહેલાં ચંડવેગના અગાઉથી નાસી આવેલા સેવકો દ્વારા અશ્વગ્રાવને બધી ખબર પડી ગઈ હતી; એટલે ચંડવેગને સાચી હકીકત રાજાને કહેવી જ પડી. પરંતુ સાથે સાથે તેણે જણાવ્યું કે, પ્રજાપતિ રાજા પોતે તો નિર્દોષ છે, તથા આપના પ્રત્યે તેની વફાદારી અખૂટ છે. પરંતુ અશ્વીવ રાજાને તે ચંડવેગના અપમાન કરતાં પેલા ભવિષ્યવેતાએ કહેલી વાતોની પડી હતી. એ તે હવે નક્કી થઈ ગયું કે, એ ત્રિપૃષ્ઠ કુમાર જ તે ભવિષ્યવેત્તાએ ભાખેલે પોતાને કાળ છે. પછી તેણે વિચાર કરી, ભવિષ્યવેત્તાએ કહેલી બીજી બાબતની પ્રતીતિ અર્થે બીજા દૂત દ્વારા પ્રજા
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy