SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ શ્રી મહાવીરકથા ૪. જે ભિક્ષ સર્વસ્વ ત્યાગ કરીને તથા લૂખાસૂકા મળે તેવા આહાર ઉપર આવનાર હોવા છતાં, માનપ્રિય અને સ્તુતિની કામનાવાળો હોય છે, તેને એ સંન્યાસ તેની આજીવિકા જ છે. તેવો ભિક્ષુ જ્ઞાન પામ્યા વિના જ ફરી ફરી આ સંસારને પામે છે. સૂત્રકૃતાંગ ૧-૧૩ ! ૫. પદાર્થોમાં તીવ્ર આસક્તિ અને જગતનાં વંદનપૂજન એ કાંટે બહુ સૂક્ષમ છે, તથા મહાકષ્ટ કાઢી શકાય તેવો છે. માટે બુદ્ધિશાળી પુરુષે જગતના સંસર્ગનો ત્યાગ કરી, એકલા થઈ જવું, અને મન-વાણીને અંકુશમાં રાખી, સમાધિ અને તપમાં પરાક્રમી બનવું. [સૂત્રકૃતાંગ ૧-૨] ૬. કઈ પવિત્ર જીવન ગાળનારા ઉત્તમ સાધુને જોતાં જ રાજાએ, અમાત્યો તથા બ્રાહ્મણુક્ષત્રિયો તેને વીંટળાઈ વળે છે અને સત્કારપૂર્વક તેને પિતાને ત્યાં નિ મંત્રણ આપે છે. તેઓ કહે છે, “હે મહષિ! અમારા આ રથ-વાહન, સ્ત્રી, અલંકાર, શયા વગેરે સર્વ પદાર્થો આપના જ છે. આપ કૃપા કરી તેમને સ્વીકાર કરો જેથી અમારું કલ્યાણ થાય. અમારે ત્યાં પધારવાથી કે તે પદાર્થોને સ્વીકાર કરવાથી દીધુ તપસ્વી એવા આપને કશે નહીં લાગે. આવું સાંભળી પરાણે ભિક્ષુ જીવન ગાળતા તથા તપશ્ચર્યાથી કંટાળેલા નબળા લોકો ઢળાવ ચડતા ઘરડા બળદની પેઠે અધવચ બેસી પડે છે અને કામભાગેથી લલચાઈ સંસાર તરફ પાછા ફરે છે. જેઓ કામભેગેનો તથા પૂજનસત્કારની કામનાને ત્યાગ કરી શક્યા છે તેઓ જ આ મોક્ષમાર્ગમાં સ્થિત થઈ શક્યા છે એ યાદ રાખવું. [સૂત્ર તાંગ ૧-૩]
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy