SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ પ૦ સુમુક્ષુની તૈયારી ૪. નિશe'કારિતા ૧. સગાંસંબંધીઓમાં મમતા જેવું જ આ માર્ગમાં બીજું મોટું વિન તે અહંકાર છે. ઘણા ભિક્ષુઓ ગાત્ર વગેરેને કારણે અભિમાન કરે છે, તથા બીજાને તિરસ્કાર કરે છે. પરંતુ, સાચો મુનિ તો પોતાની મુખ્તાવસ્થાને પણ ગર્વ નથી કરતા. તેમ ખરે ચક્રવર્તી રાજા, સંન્યાસી થયેલા પિતાના એક વખતના દાસાનુદાસનું પણ વિના સંકેચે યથાચોગ્ય સન્માન કરે છે. અહંકારપૂર્વક બીજાને તિરસ્કાર કરવો એ પાપરૂપ છે. માટે મુમુક્ષુએ કશી વાતનું અભિમાન કયી સિવાય, અપ્રમત્ત રીતે, સાધુ પુરુષોએ બતાવેલ સંયમધર્મમાં સમાન વૃત્તિથી અશુદ્ધ રહેવું. [સૂત્રકૃતાંગ ૧-૨] ૨. ભલેને કેાઈ ભિક્ષુ ભાષા ઉપર કાબૂવાળો હોય કે પ્રતિભાવાન પંડિત તથા ગાઢ પ્રજ્ઞાવાળો વિચારક હોય, તો પણ, તે જે પિતાની બુદ્ધિ કે, વિભૂતિને કારણે મદમસ્ત થઈ બીજાને તિરસ્કાર કરે, તે તે પ્રજ્ઞાવાન હોવા છતાં સમાધિ પ્રાપ્ત કરી શકે નહીં. માટે ભિક્ષુએ પ્રજ્ઞામદ, તપમદ, ગોત્રમદ, તથા ચોથો ધનમદ, એ ચાર મદ ન કરવા. જે એવા મદ નથી કરતા તે જ પંડિત છે અને ઉત્તમ સત્ત્વવાળો છે. ગોત્ર વગેરેથી પર થયેલા મહર્ષિઓ જ ગોત્ર વિનાની પરમગતિને પામે છે. ત્રિકૃતાંગ. ૧-૧૩] ૩. કેટલાક અભિમાની પુરુષે પિતામાં સાચી શક્તિ ન હોવા છતાં ખોટી બડાઈ કરે છે અને સામા માણસને પિતાના પડછાયા જે તુચ્છ ગણે છે; અથવા સંન્યાસી ભિક્ષુક થઈને પણ પિતાના બ્રાહ્મણ-ક્ષત્રિય-ઉઝ કે લિચ્છવી કુળને ગર્વ કરે છે. તેવા મનુષ્યો સંન્યાસી છતાં ગૃહસ્થીનું આચરણ કરનારા કહેવાય. તેઓને મુક્તિ પ્રાપ્ત થવી અશક્ય છે. કારણકે, દીર્ઘકાળ સેવેલા જ્ઞાન અને ચારિત્ર સિવાય જાતિ કે કુળ કેઈને બચાવી શકતાં નથી. [સૂત્રકૂતાંગ. ૧-૧૩]
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy