SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ ५०२ શ્રી મહાવીર-કથા ૨. તેને ભિક્ષા માગવા આવેલો દેખી, સગાંસંબંધીઓ તેને ઘેરી લઈ, વિલાપ કરવા માંડે છે કે, “હે તાત! અમે તને ઉછેરી મેટો કર્યો, હવે તું અમારું ભરણપોષણ કર. તેમ કરવાને બદલે તું અમારો ત્યાગ કેમ કરે છે? વૃદ્ધ માતાપિતાનું ભરણપોષણ કરવું એ તો આચાર છે. તેને ત્યાગ કરવાથી તને ધર્મ શી રીતે પ્રાપ્ત થશે? તારા વડીલે મીઠી જીભના છે, તારા પુત્રો હજુ બાળક છે, તારી સ્ત્રી પણ જુવાન છે. રખે તે અવળે માર્ગે ચડી જાય! માટે હે તાત! તું ઘેર પાછા ચાલ. તારે હવે કાંઈ કામ કરવું નહીં પડે. અમે બધા તને મદદ કરીશું. તારું દેવું અમે વહેંચી લીધું છે અને વેપારધંધા માટે તારે ફરી પૈસા જોઈતા હશે, તો પણ અમે આપીશું. માટે એક વાર તું પાછો ચાલ. પછી તને ન ફાવે તે ભલે પાછો ચાલ્યો જજે. એમ કરવાથી, તારા શ્રમણપણને વાંધે નહીં આવે.” આ બધું સાંભળી, નેહીઓના દુસ્તર સ્નેહબંધમાં બંધાયેલો નબળા મનને માણસ ઘર તરફ દેડવા માંડે છે. અને તેના સંબંધીઓ પણ, એક વાર તે હાથમાં આવ્યો, એટલે, તેને ચારે બાજુથી ભોગવિલાસમાં જકડી લઈપળવાર વિલે મૂક્તાં નથી. [ સૂત્રકૃતાંગ ૧-૩] ૩. સંસારમાં વિવિધ કુળમાં જન્મીને તથા ત્યાં સુખભેગમાં ઊછરીને જાગ્રત થતાં કેટલાય લોકોએ સંસારનો ત્યાગ કરી. મુનિપણું સ્વીકાર્યું છે. તે વખતે સંયમમાં પરાક્રમ કરતા તે મુનિએને જોઈને ખેદ પામતાં તેમના સ્વછંદી અને કામભેગમાં આસક્ત સગાંવહાલાંએ રુદન કરી-કરીને, પોતાને ન છોડી જવાને તેમને વીનવ્યા છે. પરંતુ તેમનામાં જેને કેાઈ પોતાનું દેખાતું નથી. તે તેઓમાં આસક્તિ કેમ કરીને રાખે? ખરે! જેણે સગાંવહાલાંને છેડ્યાં છે, એવો અસાધારણ મુનિ જ આ સંસારપ્રવાહને તરી શકે છે. આ પ્રકારના જ્ઞાનની હંમેશ ઉપાસના કરવી, એમ હું કહું છું. [આચારાંગ ૧-૨]
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy