SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ સુમુક્ષુની તૈયારી ૫૧ અશાશ્વત, વધઘટ પામનારું અને વિકારી છે. એ જાતના વિચાર રી, તે સંયમી લાંબા વખત સુધી દુઃખે1 સહન કર્યાં જ કરે છે. એવા મુનિ આ સસારપ્રવાહને તરી શકે છે, અને તેને જ મુક્ત અને વિરત કહેલા છે, એમ હું કહું છું. [આચા॰ ૧-૫] ૧૧. હૈ ભાઈ, તારી જાત સાથે જ યુદ્ધ કર! બહાર યુદ્ધ કરવાથી શું? એના જેવી યુદ્ધતે ચેાગ્ય ખીજી વસ્તુ મળવી દુર્લભ છે. [ આચા૦ ૧-૫ ] નિમતા 3. ૧. સાચું જ્ઞાન પ્રાપ્ત કરવા સાંસારિક સબંધેા છેાડીને ચાલી નીકળેલા ભિક્ષુને સૌથી પ્રથમ પેાતાના પૂર્વસંધીએ પ્રત્યેની મમતા દૂર કરવી પડે છે. કાઈ વખત બ્રિક્ષા માગવા તે પેાતાને ઘેર આવી ચડે છે, ત્યારે તે બધાં તેને સામટાં ધેરી લઈ, વિનતિઓ, કાકલૂદીઓ અને રુદન વગેરેથી સમજાવવા લાગે છે. વૃદ્ધ માતાપિતા વગેરે તેને કરગરતાં કહે છે કે, અમને આમ અસહાય છેાડી જવાને બદલે અમારું ભરણુપાષણ કર, એ તારી સૌથી પહેલી ફરજ છે. ક્રૂજતે જતી કરીને તું શું પુણ્ય પ્રાપ્ત કરી શકીશ? વળી તે તેને એક જ વશરક્ષક પુત્ર ઉત્પન્ન થતા સુધી જ ધરમાં રહેવાનું કહીને સમજાવે છે; તથા ખીજી પણ ઘણી લાલચેા બતાવે છે. કાઈ વાર બળજબરી પણ વાપરે છે. છતાં જેને જીવિત ઉપર મમતા નથી, એવા ભિક્ષુને "તે કાંઈ કરી શકતાં નથી. પરંતુ સગાંસંબંધીમાં મમતાવાળા અસંયમી ભિક્ષુએ તે વખતે માહ પામી જાય છે, અને ઘેર પાછા ફરી બમણુા વેગથી પાપકર્મી કરવાં શરૂ કરે છે! માટે બુદ્ધિમાન ભિક્ષુએ પ્રથમ પાતામાં રહેલી એ માયામમતા દૂર કરવાના પ્રયત્ન કરવા. આ મહામા`માં એવા પરાક્રમી પુરુષો જ અંત સુધી સ્થિર રહી શકે છે. [ સૂત્રકૃતાંગ॰ ૧-૨]
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy