SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ જજ શ્રી મહાવીર કથા તેમ તે બધાં કર્તવ્યનું રહેઠાણ બને છે. તેનું જ્ઞાન પૂજાય છે, તેના સંશય ટળી જાય છે, અને કર્તવ્યની સંપત્તિથી તે બધાને મનગમતે થાય છે. તપ, આચાર અને સમાધિથી સુરક્ષિત એ તે મહા તેજસ્વી શિષ્ય પાંચ વ્રત પાળવા શક્તિમાન થાય છે, અને મૃત્યુ બાદ કાં તો શાશ્વત સિદ્ધ થાય છે અથવા મહાવૃતિવાળો દેવ થાય છે. ઉત્તરા. ૧] ૬. જેણે શાસ્ત્રનો મર્મ જાણ્યો નથી, જે અહંકારી છે, લુબ્ધ છે, જે ઈદ્રિયનિગ્રહી નથી. તથા જે નિરંતર ગમે તેમ લપ લપ કર્યા કરે છે, તે (ઘણું ભર્યો હોય તે પણ વિનીત ન કહેવાય કે શાસ્ત્રજ્ઞ પણ ન કહેવાય. ૭. નીચેનાં પાંચ કારણથી સાચું શિક્ષણ પ્રાપ્ત થતું નથીઃ માન, ક્રોધ, પ્રમાદ, રેગ અને આળસ. * ૮. નીચેનાં આઠ કારણથી માણસ સુશિક્ષિત કહેવાય છે. તે સહનશીલ નથી હોત; સતત ઈદ્રિયનિગ્રહી હોય છે; તે બીજાનું મર્મ ભેદાઈ જાય તેવું બેલતો નથી; તે સુશીલ હેય છે; તે દુરાચારી નથી હોતા; તે રસલંપટ નથી હોત; તે સત્યમાં રત હોય છે; તથા ક્રોધી નથી હોતે. ૯. નીચેના ૧૪ દેવાળો મુનિ અવિનીત કહેવાય છે, અને તે નિર્વાણ પામી શકતો નથીઃ તે વારંવાર ગુસ્સે થઈ જાય છે; તેને ધ ઝટ શમત નથી; કેઈ તેની સાથે મિત્રતાથી બાલવા જાય, તે પણ તે તેને તિરસ્કાર કરે છે; શાસ્ત્ર ભણીને તે અભિમાન કરે છે; બીજાના દેશોનાં તે તરણું કરે છે; મિત્રો ઉપર પણ તે ગુસ્સે થઈ જાય છે; પિતાના પ્રિય મિત્રનું પણ પીઠ પાછળ ભૂંડું બેલે છે; કઈ પણ બાબતમાં ઝટ સોગંદ ખાય છે; મિત્રને પણ દ્રોહ કરે છે; અહંકારી હોય છે, લુબ્ધ હોય છે; ઇન્દ્રિયનિગ્રહી નથી હોત; એકલપેટે હોય છે; અને બધાને અપ્રીતિકર હોય છે.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy