SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ મુમુક્ષુની તૈયારી ૪૯૩ અતિ હીન કર્મો, તથા અન્ય પાપપ્રવૃત્તિઓને પ્રયત્નપૂર્વક ત્યાગ કરવો. પાપી ભાવ જાગ્રત થાય તેવાં સ્થાને કે પ્રસંગોથી તેણે દૂર જ રહેવું. તેમ છતાં પોતાનાથી કાંઈ દેષ થઈ જ જાય, તો તે ઝટ ગુરુ આગળ કબૂલ કરી દે. તેણે પોતાની જાતને (મન-વચન-કાયાને) સંપૂર્ણપણે જીતવી. પિતાની જાત જીતવી એ બહુ મુશ્કેલ વસ્તુ છે. પરંતુ તેમ કરી શકનારે જ આ લેક અને પરલોકમાં સુખી થાય છે. સમજુ પુરુષે એવી ભાવના કરવી કે, બીજા મને વધ-દમનાદિથી દમ, તેના કરતાં હું પોતે જ પોતાની જાતને સંયમ અને તપ દ્વારા દમું, એ વધારે સારું છે.' ૪. અણુપલેટેલો ઘેડે જેમ વારંવાર ચાબુકની અપેક્ષા રાખ્યા કરે છે, તેમ તેણે દરેક બાબતમાં ગુરુની ટેકણીની અપેક્ષા ન રાખવી. પરંતુ, તેમના મનોગત ભાવને સમજી લઈ, તે પ્રમાણે આચરણ રાખવું. ઉત્તમ ઘેડ જેમ ચાબુક જોઈને જ માર્ગે ચાલ્યા કરે છે, તેમ તેણે પાપકર્મનો ત્યાગ કરતા રહેવું. ઉત્તમ શિષ્યને કદી પ્રેરણા કરવી પડતી નથી; અને કરવી પડે છે તે તે સહેલાઈથી તથા જલદી કરી શકાય છે. એક વાર તેને કહ્યું એટલે તે પ્રમાણે તે બધું હંમેશાં સારી રીતે કરે છે.. કેળવાયેલા ઘેડાને ખેલાવવામાં જેમ સવારને આનંદ આવે છે, તેમ ગુરુને પણ તેવા ચતુર શિષ્યને દોરવામાં આનંદ આવે છે. ૫. શ્રદ્ધાવાન, વિનયશીલ, મેધાવી, અપ્રમત્ત, વૈરાગ્યવાન, સત્યવક્તા, સંયમી, તપસ્વી અને ગુરુની કૃપા તથા આજ્ઞાનો વાંછુક એ મુમુક્ષુ શિષ્ય ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવા તથા બીજાઓને પણ દોરવા શક્તિમાન થાય છે. કારણ કે, પૂજ્ય, જ્ઞાની, પ્રસિદ્ધ અને કૃપાવંત આચાર્યો જેના ઉપર પ્રસન્ન થાય છે, તેને અર્થવાળી વિપુલ વિદ્યા આપે છે. લેકમાં તેની કીતિ થાય છે, અને પૃથ્વી જેમ સર્વ પ્રાણુંઓનું રહેઠાણ છે,
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy