SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ શ્રી મહાવીરકથા આસક્તિથી ઊભાં થયેલાં દુ:ખા દૂર કરવા તે બીજા ખીજા અનેક ઉદ્યમે કર્યો કરે છે. કામભેાગાના જ વિચારમાં મન-વાચન-કાયાથી મગ્ન રહેનારા તે મનુષ્ય. પેાતાની પાસે જે કાંઈ ધન હોય છે, તેમાં અત્યંત આસક્ત રહે છે, તથા એપમાં, ચારપગાં કે ગમે તે પ્રાણીઓના વધ કે નિગ્રહથી પણ તેની વૃદ્ધિ પૃચ્છે છે. સ્રો અને ધનના કામી તથા દુ:ખથી ડરતા એવા તે અજ્ઞાની વે પેાતાના સુખ માટે શરીરબળ, નાતિભળ, મિત્રબળ, દેવબળ, રાજબળ વગેરે મેળવવા ગમે તેવાં કાર્યો કરે છે, અને તેમ કરતાં થતી અન્ય જીવેાની હિ ંસાની જરાય પરવા કરતા નથી. [ પા. ૧૪-૫ ] કામિની અને કાંચનમાં મૂઢ એવા તે લેાકેાને વિતમાં અત્યંત રાગ હોય છે. ણુ, કુંડળ, અને હિરણ્ય વગેરેમાં પ્રીતિવાળા તથા સ્ત્રીઓમાં અત્યંત આસક્તિવાળા તે લેાકાતે એમ જ દેખાય છે કે, અહીં કાઈ તપ નથી, દમ નથી કે નિયમ નથી. જીવન અને તેના ભાગેાની કામનાવાળા તે મહામૃદ્ધ મનુષ્ય ગમે તેમ ખેલે છે, તથા હિતાહિતજ્ઞાનશૂન્ય બની જાય છે [પા. ૧૪ ]. એવા માણુસ જિતાની આજ્ઞાને અનુસરી શકતા નથી; પરંતુ ફરીફરીને કામગુણને આસ્વાદ લેતેા, હિંસાદિ વક્ર પ્રવૃત્તિ કરતેા, પ્રમાદપૂર્વક ઘરમાં જ મૂર્છિત રહે છે. [પા. ૧૦-૧ ] વિષયકષાયાદિમાં અતિ મૂઢ઼ રહેતા માણસ સાચી શાંતિના મૂળરૂપ ધર્માંતે એળખી જ શકતા નથી. માટે વીર ભગવાને કહ્યું છે કે, એ મહામેાહમાં બિલકુલ પ્રમાદ ન કરવા. [પા. ૧૭] ભાગેાથી કદી તૃષ્ણા શમી શકતી નથી. વળી તે ભેગા મહા ભરૂપ છે. તથા દુઃખના કારણરૂપ છે. માટે તેમની કામના છેડી દે। તથા તેમને માટે કાઈ તે પીડા ન કરીશ. પેાતાને
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy