SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેક-વૈરાગ્ય વળી, વિષયામાં આસક્તિ બીન અનેક મહાપાપાનું કારણુ થઈ પડે છે; જેમના મૂળરૂપે પાછાં અનેક દુઃખા ભાગવ્યા કરવાં પડે છે. જેમકે, પેાતાને પ્રિય લાગતા વિષયમાં આસક્તિવાળા જીવ પેાતાના સુખ ખાતર બીજા જીવાને પીડા કરવી પડે કે તેમના નાશ કરવા પડે તે પણુ પાછું નહીં જુએ. વળી, તે પેાતાને ગમતા વિષયાના પરિગ્રહ સંગ્રહે કરવા તત્પર થશે. તેમાંય પ્રથમ તે તે, વિષયે। મેળવવામાં દુ:ખી થવાને; પછી તેમને ઉપભોગ કરતાં દુ:ખી થવાને; અને અંતે તેમને વ્યય અને વિયેાગ થતાં દુ:ખી થવાને. દુઃખની વાત તે એ છે કે, એ વિષયેાના સભાગકાળમાં પશુ તેને અતૃપ્તિ જ રહે છે. એ અપ્ત પાછી તેને વધુ ને વધુ વિષયેાના સંગ્રહ કરવા પ્રેરે છે. આમ તે હંમેશ અસંતુષ્ટ જ રહે છે. એ અસતેાષને પરિણામે, લેાભથી કલુષિત થયેલા ચિત્તવાળા તે જીવ, પછી બીજાના વિષયા ચારી લેવા તત્પર થાય છે. હંમેશાં અતૃપ્ત રહેતા, તૃષ્ણાથી અભિભૂત થયેલા, અને બીજાના વિષયે ચેરવામાં તત્પર થયેલા તે મનુષ્યને પુછી છળ અને જૂના આશ્રય લેવા પડે છે. તેમ છતાં તેનાં દુઃખ તા વધતાં જ જાય છે. કારણ કે, નૂહ, ચેરી વગેરે દરેક પાપકર્મોમાં તેને પહેલાં, પછી, તેમજ કરતી વેળાએ દુઃખ જ રહે છે, અને અંતે પણ તેનું પરિણામ માઠું જ આવે છે. આમ તે મનુષ્ય હંમેશાં અસહાય અવસ્થામાં દુ:ખ બેગવ્યાં કરે છે. - જન્મ તે ઉપરાંત કામગુણૢામાં આસક્ત મનુષ્ય ક્રોધ-માન-માયાલેાભ-જુગુપ્સા-અતિ-તિ-હાસ્ય-ભય-શાક-ઓની ઇચ્છા, પુરુષની ઇચ્છા, કે બંનેની ઇચ્છા – વગેરે વિવિધ ભાવેા યુક્ત બને છે; અને પરિણામે પરિતાપ, દુર્ગાત વગેરે પામે છે. ઇંદ્રિયાને વશીભૂત થયેલા મનુષ્યને માહરૂપી મહાસાગરમાં ડૂબવા માટે અનેક પ્રયેાજન ઊભાં થાય છે, કારણ કે, પેાતાની
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy