SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ - વિવેક-વૈરાગ્ય ૪૮૭ અમર જે માનતો જે માણસ ભોગમાં મહાશ્રદ્ધા રાખે છે, તે દુઃખી થાય છે, માટે તૃષ્ણને ત્યાગ કરે. કામનું સ્વરૂપે અને તેમનાં વિકટ પરિણામે ન સમજતા કામકામી અંતે રડે છે, અને પસ્તાય છે. [પા. ૧૭] હે ધીર પુરુષ! તું આશા અને સ્વચ્છંદને ત્યાગ કર. તે બેનું શળ સ્વીકારીને જ તું રખડ્યા કરે છે. સાચી શાંતિના સ્વરૂપને અને મરણનો વિચાર કરીને, તથા શરીરને નાશવંત જાણુને કુશળ પુરુષ કેમ કરીને પ્રમાદ કરે? [પા. ૧૮] જે મનુષ્યો ધ્રુવ વસ્તુ ઈચ્છે છે, તેઓ ક્ષણિક તથા દુઃખરૂપ ભોગજીવનને ઇચ્છતા નથી. જન્મ અને મરણને વિચાર કરીને બુદ્ધિશાળી મનુષ્ય દઢ એવા સંયમમાં જ સ્થિર થવું. [પા. ૧૮] કુશળ પુરુષો કામને નિર્મૂળ કરી, સર્વ સાંસારિક સંબંધો અને પ્રવૃત્તિઓથી છૂટા થઈ, પ્રવ્રજિત થાય છે. તેઓ કાનું સ્વરૂપ સમજતા હોય છે તથા દેખતા હોય છે. તેઓ બધું બરાબર સમજી, કશાની આકાંક્ષા રાખતા નથી. [પા. ૧૮] વિવેકી પુરુષ અરતિને વશ થતો નથી; તેમજ રતિને વશ થતો નથી. તે ક્યાંય રાગ નથી કરતે. પ્રિય અને અપ્રિય શબ્દો અને સ્પર્શી સહન કરતો તે વિવેકી, જીવિતની તૃણમાંથી નિર્વેદ પામે છે. [પા. ૧૯] હે પુરુષ! તું જ તારે મિત્ર છે. બહારના મિત્રની શોધ છોડી, તું તારા જ આત્માને નિગ્રહમાં રાખ તે રીતે તું દુઃખમાંથી મુક્ત થઈ શકીશ. [પા. ૨૯] - વીર પુરુષે વિષયસંગથી પ્રાપ્ત થતા બંધનના સ્વરૂપને અને તેને પરિણામે પ્રાપ્ત થતા શોકને જાણુને સંયમી થવું, તથા મેટાં અને નાનાં બધી જાતનાં રૂપમાં વૈરાગ્ય ધારણ કરવો. હે બ્રાહ્મણ, જન્મ અને મરણને (તેનાં કારણો સહિત) સમજીને
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy